વિસ્તારાની મુંબઇથી દિલ્હી જતી ફ્લાઇટમાં તે સમયે વિમાન યાત્રીઓની જિંદગી તે સમયે જોખમમાં મૂકાઇ જ્યારે, લગભગ 4 કલાકના ઉડાન પછી એરક્રાફ્ટમાં માત્ર 5 મિનિટ જેટલુ જ ઇંધણ બાકી રહ્યુ હતુ.
દિલ્હી જઇ રહેલી આ ફ્લાઇટને પહેલા લખનઉ ડાયવર્ટ કરવામાં આવી, પછી તેણે પ્રયાગરાજ પહોંચાડવામાં આવી પરંતુ ત્યાર પછી ફ્લાઇટને ફરી લખનઉ પાછા આવવુ પડ્યુ હતુ. લો વિઝિબિલિટીને કારણે લેન્ડિંગમાં મુશ્કેલી આવી રહી હતી છેવટે જ્યારે પાયલટે ઇમરજન્સી મેસેજ મોકલીને વિમાનને લખનઉ એરપોર્ટ પર લેન્ડ કર્યુ ત્યારે ઇંધણ લગભગ ખાલી થઇ ગયુ હતુ.
સારુ હવામાન અને લખનઉ એર ટ્રાફિક કંટ્રોલરની સમયસૂચકતાને કારણે એરક્રાફ્ટની કોઇ મોટી દુર્ધટના ના બની. લખનઉથી પ્રયાગરાજના બમરૌલી એરપોર્ટની લગભગ 200 કિમી દૂર જવા જેટલુ પણ ઇંધણ બાકી ન હતુ. ફાઇટ રડાર 24ના ડેટા અનુસાર, પ્રયાગરાજના રાસ્તામાં 7 મિનિટનું સફર પૂરુ કર્યા પછી એરક્રાફ્ટને લખનઉ પરત આવવુ પડ્યુ જ્યાં 20 મિનિટની અંદર તેની લેન્ડિંગ કરવામાં આવી.
'5 મિનિટનો ફ્લાઇંગ સમય બાકી હતો'
પાયલટ ત્યારે જ વિમાન લખનઉ પરત લઇ આવી શકતા હતા, જ્યારે એટીસીએ તેમણએ જણાવ્યુ કે, લખનઉમાં હવામાન સ્વચ્છ થતા ફ્લાઇટને પાછી બોલાવાઇ હતી.
સૂત્રોનુસાર, “જ્યારે વિમાન લખનઉમાં લેન્ડ થયું તો ફ્લુઅલ ટેન્કમાં 200 કિ.ગ્રા એટલે કે 5 મિનિટનો ફ્લાઇંગ ટાઇમ બચ્યો હતો.'' ઉલ્લેખનીય છે કે હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે અને બંને પાયલટોને વિમાન ઉડાવવામાં પ્રતિબંધ લાદી દીધો છે.
વિસ્તારા એરલાઇન્સે જણાવ્યુ કે, તેમના માટે યાત્રીઓ તથા ક્રૂની સુરક્ષા પ્રથમ છે. વિસ્તારાની પીઆરઓ દ્વારા કહેવામાં આવ્યુ છે કે, ''આમૌસી એરપોર્ટ પર ઇંધણ ભરીને દિલ્હીમાં મોડી રાત્રે 1.35 વાગે ફ્લાઇટને લેન્ડ કરી દેવામાં આવી હતી.''