મહેસાણાઃ જિલ્લાનાં વિસનગરમાં જૂથ અથડામણની એક ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ખેતરમાં વૃક્ષો કાપવા બાબતે બે જૂથો સામસામે આવી ગયાં હતાં. બંને જૂથોએ સામ-સામે પથ્થરમારો કર્યો હતો. આમ મામલો વણસતા પોલીસ બોલાવાની ફરજ પડી હતી. પોલીસે ટોળાંને વિખેરવા માટે ટીયર ગેસનાં સેલ છોડ્યાં હતાં. 8 વ્યક્તિઓને ઇજા થતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
મહત્વનું છે કે વિસનગર ખાતે ખેડૂતોએ પોતાનાં ખેતરમાં વૃક્ષો કાપવા બાબતે ભેગાં થઇને ચર્ચા વિચારણા કરી રહ્યાં હતાં. તેવામાં એકાએક આ મુદ્દે બે જૂથો સામસામે આવી જતાં સમગ્ર મામલો બિચક્યો હતો. ત્યારે બંને જૂથો દ્વારા સામ-સામે પથ્થરમારો પણ શરૂ કરી દેવાયો હતો.
જેમાં આ અથડામણમાં 8 લોકો ઇજાગ્રસ્ત થતાં તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. બાદમાં મામલો વધુ ગંભીર બનતા પોલીસે પણ ઘટનાસ્થળે આવવું ફરજિયાત થઇ ગયું હતું. અંતે આખરે પોલીસે આ ટોળાંને વિખેરવા માટે ટીયર ગેસનાં સેલ છોડવા પડ્યાં હતાં.