એક્ચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલ પર ચીનના સાથે તણાવ વધવાને કારણે ઈન્ડિયન આર્મી ચીન જનરલ એમએમ નરવણેએ કહ્યું કે ભારતે પોતાની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સીમાં પર જવાનોની પુરતા પ્રમાણમાં તૈનાતી કરી દીધી છે. લેહ લદ્દાખના પ્રવાસ દરમિયાન નરવણેએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે ચીનથી અડીને રહેલી સરહદ પર તૈનાત ભારતીય જવાનોનો ઉત્સાહ સાતમાં આસમાને છે અને તે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયાર છે.
આર્મી ચીફે લેહ પહોંચીને અનેક જગ્યાઓની મુલાકાત લીધી
જવાનોના ઈરાદા મજબૂત છેઃ આર્મી ચીફ
તમામ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છેઃ આર્મી ચીફ
આર્મી ચીફે શુક્રવારે કહ્યું હતું કે મે લેહ પહોંચીને અનેક જગ્યાઓની મુલાકાત લીધી. મે અધિકારીઓ અને જેસીઓજ સાથે વાત કરી તૈયારીઓનું નિરિક્ષણ કર્યુ. જવાનોના ઈરાદા મજબૂત છે અને તે તમામ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે એલએસી પર હાલાત થોડા તણાવ ભર્યા છે. જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે જેથી આપણી સુરક્ષતા અને અખંડતા પર કોઈ સંકટ ન આવે.
નરવણે ભાર પૂર્વક કહ્યું કે એલએસી પર તૈનાત જવાનોના મનોબળ બહું જ ઉંચા છે. તેમણે કહ્યું કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયાર છે. હું ફરી કહેવા માંગીશ કે ભારતના અધિકારીઓ અને જવાનો દુનિયામાં સૌથી જોરદાર છે. તે ફક્ત આર્મીનું નહીં પણ રાષ્ટ્રનું ગૌરવ છે. નરવણે ગુરુવારે ચૂશુલ સેક્ટર પહોંચ્યા હતા ત્યાં રક્ષાની તૈયારીઓનું નિરિક્ષણ કરી તેઓ આજે દિલ્હી પાછા ફર્યા હતા.