વિશેષતા / એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે જૂનાગઢની આ વાવ, સંકળાયેલી છે આ 2 કથા

Visit Junagadh Famous Adi Kadi vav and Its Speciality

જૂનાગઢ પહેલા ઉપરકોટના કિલ્લામાં વસતું હતું. આથી આ કિલ્લામાં સંરક્ષણના હિતાર્થે મૂકવામાં આવેલી તોપની સાથે અનાજ ભરવાનાં ગોદામોની સાથે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ વ્યવસ્થા એટલે અડી કડી વાવ અને નવઘણ કૂવો. ઉપરકોટના કિલ્લામાં બૌદ્ધ ગુફાઓથી આગળ જતાં અડી કડી વાવ અને નવઘણ કૂવો આવેલાં છે. લેખના શિર્ષકમાં મૂકેલી ઉકતિનો અર્થ એ થાય છે કે, જેમણે તેના જીવનમાં આ બે જગ્યાની મુલાકાત લીધી ન હોય તેનું જીવન વ્યર્થ છે. અડી કડી વાવનું સર્જન એક જ પથ્થર(ખડક) કાપીને કરવામાં આવેલું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ