ગુજરાતના નર્મદા જિલ્લામાં ભગવાન શંકરનું મંદિર આવેલું છે. 5000 વર્ષ જૂના આ મંદિરમાં જે શિવલિંગ છે તેની સાથે અનેક રોચક માન્યતાઓ પણ છે.
ગુજરાતના નર્મદા જિલ્લામાં છે ભગવાન શંકરનું મંદિર
5000 વર્ષ જૂનું છે આ શંકર ભગવાનનું મંદિર
5000 વર્ષ જૂનું શિવલિંગ આજે પણ બિરાજમાન છે
ભગવાન શંકરને અનેક નામથી ઓળખવામાં આવે છે. તેઓ પોતાના વિવિધ રૂપને માટે આ જગમાં જાણીતા છે. કોઈ તેમની મૂર્તિની પૂજા કરે છે તો કોઈ લિંગ રૂપમાં તેમની આરાધના કરે છે. ધાર્મિક અને જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે શિવલિંગની આરાધના ખૂબ લાભદાયી હોય છે. આ કારણ છે કે દેશમાં જ નહીં પણ દેશની બહાર પણ અનેક જગ્યાઓએ શિવજીના મંદિરો છે અને વિધિ વિધાન સાથે તેમની પૂજા પણ કરાય છે.
હા આજે જે મંદિરની વાત થઈ રહી છે તે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું છે. તેને વિશે માન્યતા છે કે અહીં જે શિવલિંગ સ્થાપિત છે તે 5000 વર્ષથી પણ જૂનું છે. આ શિવલિંગની આરાધના કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સફળતા અને શાંતિનો વાસ રહે છે.
આ સમયે રહે છે ભક્તોની ભીડ
ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાસુકાના કોકમ ગામમાં આ મંદિર છે. અહીં દેશ અને વિદેશથી શિવભક્તો આવે છે. લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે. અહીં ખાસ કરીને શ્રાવણના સમયે ભક્તોની ભારે ભીડ રહે છે. અહીં લોક પ્રચલિત માન્યતા છે કે આ મંદિર 5000 વર્ષ જૂનું હોવાથી અહીં ભક્તોની ભીડ રહે છે.
આ રીતે મંદિર બન્યું હોવાની લોકવાયકા
લોકોનું કહેવું છે કે વર્ષ 1940માં અહીં પુરાતત્વ વિભાગે જ્યારે ખોદકામ કર્યું ત્યારે આ 5000 વર્ષ જૂનું શિવલિંગ મળ્યું. આ સમયે અનેક અનમોલ ચીજો પણ મળી હતી. હજારો વર્ષો જૂના શિવલિંગના આ મંદિરને જળેશ્વર મહાદેવ મંદિરના નામે ઓળખવામાં આવે છે. તેની સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. અહીં લાખોની સંખ્યામાં શિવ ભક્તો આવે છે અને અદ્ભૂત દર્શન કરીને પુણ્ય કમાય છે. આ મંદિર માટે શાસ્ત્રોમાં પણ ખાસ વર્ણન છે. આ મંદિરની નજીકથી વહેતી નદીને પૂર્વા નદી કહેવાય છે. માન્યતા અનુસાર આ નદીમાં સ્નાન કરીને શિવલિંગના દર્શન કરવાથી પાપથી મુક્તિ મળે છે.