ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક હજુ પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વિઝિબિલીટી ઘટી ગયેલી જોવા મળી છે. આ સાથે વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં વરસાદના કારણે વિઝિબિલીટ ઘટી
લોકો વાહનોમાં હેડ લાઈટ ચાલુ કરવા બન્યા મજબૂર
વાસણા બેરેજના 3 દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડાયું
રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે. અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના SG હાઇવે પર પણ વરસાદી ઝાપટા પડ્યા છે. શહેરમાં વરસાદના કારણે વિઝિબિલીટ ઘટી ગઇ છે. લોકો વાહનોમાં હેડ લાઈટ ચાલુ કરવા મજબૂર બન્યા છે.
અમદાવાદમાં વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયાં
અમદાવાદના વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજના દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નજીમાં 4 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. સંત સરોવર ડેમમાંથી વધુ પાણીની આવકની શક્યતા છે.