ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી એકાએક રાજીનામું આપી કોંગ્રેસને ઝટકો દેનાર વિશ્વનાથસિંહ વાઘેલા આજે ભાજપમાં જોડાશે.
વિશ્વનાથસિંહ વાઘેલા આજે ભાજપમાં જોડાશે
યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી આપ્યું હતું રાજીનામું
વિશ્વનાથસિંહે CR પાટીલ-હર્ષ સંઘવી સાથે કરી મુલાકાત
ગઇકાલે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપનાર વિશ્વનાથસિંહ વાઘેલા આજે કેસરિયો ધારણ કરશે એટલે કે ભાજપમાં જોડાશે. તેઓએ CR પાટીલ અને હર્ષ સંઘવી સાથે મુલાકાત પણ કરી હતી. દરમ્યાન અનુરાગ ઠાકુર અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ હાજર રહ્યાં હતા.
વિશ્વનાથસિંહના રાજીનામા બાદ તાત્કાલિક નવા પ્રમુખની નિમણૂંક કરી દેવાઇ
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાતી રહે છે. ત્યારે ગઇકાલે રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા જ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. જોકે વિશ્વનાથસિંહના રાજીનામા બાદ તાત્કાલિક ધોરણે પ્રદેશ યુથ કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક કરી દેવાઇ હતી. ગઇકાલે ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે હરપાલસિંહ ચુડાસમાની નિમણૂંક કરી દેવાઇ હતી. નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ સાથે વિશ્વનાથ વાઘેલાનો આંતરિક કકળાટ ચાલતો હતો.
યુવાનો કોંગ્રેસમાં સમય વેડફી રહ્યાં છે: વિશ્વનાથસિંહ વાઘેલા
વિશ્વનાથસિંહ વાઘેલાએ ગાંધી-નેહરુ પરિવાર પર આક્ષેપ લગાવતા કહ્યું કે, 'હું પ્રદેશ પ્રમુખ પદેથી મારું રાજીનામું આપી રહ્યો છું. કોંગ્રેસના સનિયર નેતાઓના આંતરિક જુથવાદનો હું ભોગ બન્યો. મને કામ કરવામાં અડચણો ઉભી કરવામાં આવતી. કોંગ્રેસ સંગઠનને નિષ્ફળ બનાવવા કાવતરા કરાયા. કોંગ્રેસ પક્ષ ચાપલુસોથી ઘેરાયેલો છે. કોંગ્રેસમાં યુવાનનો દુરુપયોગ જ થાય છે. યુવાનો કોંગ્રેસ પક્ષમાં દેશનું ભવિષ્ય નથી જોતા. કોંગ્રેસ પક્ષ એકપણ રીતે યોગ્ય નથી લાગતો. યુવાનો કોંગ્રેસમાં સમય વેડફી રહ્યાં છે. આંતરિક જૂથવાદથી પક્ષમાં દુશ્મનો ઉભા થાય છે. દેશની સત્તા માટે જનતાએ કોંગ્રેસને ખૂબ તકો આપી. કોંગ્રેસ પોતોના જ કાર્યકરોને શંકાની નજરે જુએ છે. કોંગ્રેસમાં વડીલો કે યુવાનોને સન્માન નથી મળતું. કોંગ્રેસે ભારત જોડવા અત્યાર સુધીમાં શું કર્યું? ભારત જોડો યાત્રા કરતા કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ.'
વિશ્વનાથ વાઘેલાએ કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
વિશ્વનાથે કહ્યું કે, કોંગ્રેસે દેશને આઝાદી અપાવી, એવા પક્ષ સાથે કામ કરીશું તો લોકસેવા કરીશું. ધીરે ધીરે ખબર પડી કે, હવે નવી કોંગ્રેસ બની છે. કચવાટ અને મૂંઝવણ સાથે કોંગ્રેસમા કામ કરતા રહ્યાં. મારા પિતા પોલીસ ખાતામાં હતા, તેથી પીએસઆઈ બનાવીને કારકિર્દી બનાવી શકત. પરંતું કોંગ્રેસ માટે 8 લાખ 40 હજાર જેટલા મેમ્બર બનાવ્યા. એક મેમ્બરના 50 રૂપિયા, અમે મતદારો બનાવીને ફી ભરી. મારા પિતા ગુજરી ગયા પછી જે રૂપિયા આવ્યા હતા તે પણ ચૂંટણીમાં વાપરી નાંખ્યા. ચૂંટણી જીત્યા પછી મને આનંદ પણ થયો. પરંતુ બીજા દિવસે ખબર પડી કે કોંગ્રેસને તેનો ગર્વ નથી. મને ફેલ કરવાની સ્ટ્રેટેજી બનાવી. વિશ્વનાથને ફેલ કરવા યૂથ કોંગ્રેસને ફેલ કરવાની. હવે મારી સહનશક્તિએ જવાબ આપ્યો. હુ નહિ મારી પહેલાના કાર્યકર્તાઓએ પણ આ જોયું છે. હું પાર્ટી છોડું એટલે મને ગદ્દાર કહેશે. પરંતુ હુ સંઘર્ષ કરીને તમારી સિસ્ટમમાં રહીને પ્રદેશ પ્રમુખ બન્યો. તેને મદદ કરવાને બદલે મારી ટીકા કરી. મને કચરો જાય છે તેવું કહ્યું. હું છેલ્લા પંદર વીસ દિવસથી મૂંઝવણ અનુભવતો હતો. સંઘર્ષ હજી પણ કરીશું, પરંતુ એવુ થાય કે આ એનર્જિ આ રૂપિયા વેડફીને શું મળશો. અમારા જેવા સેંકડો કાર્યકર્તા તમારી પાસે આવે ત્યારે કોઈ મદદ ન કરે, અને હેરાન કરે ત્યારે દુખ થાય છે. દુખ સાથે કોંગ્રેસ છોડી છે. રાજકારણમાંથી રાજીનામુ આપ્યુ નથી, પણ કોંગ્રેસમાંથી આપ્યું છે. હજી પણ રાજકારણ કરવાના ઘણા સ્કોપ છે. સહનશક્તિ ઘટી એટલે રાજીનામુ આપ્યું છે. સામાન્ય ઘરથી યુવાન ચૂંટણી લડે તો પાર્ટીને ગર્વ તો હોવો જોઈએ. પરંતુ એ ન થયો. પાર્ટીમાં જે અંદરો અંદર લડે છે તેમના ઝગડા બંધ કરવા જોઈએ. મેં આ મુદ્દે શ્રીનિવાસને ફોન કર્યો હતો પણ તેમણે ફોન ઉપાડવાના બંધ કર્યા હતા.