અલીગઢમાં વિશ્વ હિન્દુ મહાસંઘના કથિત નેતાની જાહેરમાં પિટાઈ કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ મહાસંઘના નેતા સુમિત કટારીયાની પિટાઈ વિશ્વ હિન્દુ મહાસંઘના જ કાર્યકરો દ્વારા કરવામાં આવી ન હતી. કાર્યકરોએ કટારિયા પર ગેરકાયદે રીતે સંગઠનની રચના કરવાનો આક્ષેપ કર્યો હતો.
કાર્યકરોને આક્ષેપ છે કે, કટારિયા પૂર્વ ઉપાધ્યક્ષ હતા પરંતુ હવે તેઓ નવુ સંગઠન બનાવી રહ્યા હતા. જેને લઈને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં બેકાબુ બનેલા કાર્યકરોએ કટારિયાની પિટાઈ કરી હતી. સંગઠને સુમિત કટારિયાને હટાવ્યા હોવા છતા બેઠક બોલાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સુમિતને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અતિશય ભીડ હોવાને કારણે તેમને સફળતા મળી શકી નહોંતી. જો કે, ત્યારબાદ પોલીસકર્મીઓ સમિતને ચોકીની અંદર લઇ ગઇ હતી અને દરવાજો બંધ કરી દીધો હતો.
પીડિત સુમિતનું કહેવું છે કે, તે પ્રદેશ ઉપાધ્યક્ષ છે, મહાસંઘના પ્રદેશ મંત્રી મહેન્દ્ર નાગરે બેઠક માટે મોકલ્યો હતો. આ ઘટના અંગેની જાણકારી રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને OSD દ્વારકા તિવારી દ્વારા આપવામાં આવી હતી. જો કે, આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.