Vish Yog: કુંભ રાશિમાં શનિ દેવ બિરાજમાન છે. પરંતુ ચંદ્રમા આવ્યા બાદ આ રાશિમાં વિષ યોગનું નિર્માણ થશે. શું હોય છે વિષ યોગ અને કેવી રીતે કરશો તેનાથી બચવાના ઉપાય આવો જાણીએ.
કુંભ રાશિમાં શનિ દેવ છે બિરાજમાન
આ રાશિમાં થઈ રહ્યું વિષ યોગનું નિર્માણ
જાણો કઈ રીતે કરશો તેનાથી બચવાના ઉપાય
કુંભ રાશિમાં આ સમયે શનિ બિરાજમાન છે. ત્યાં જ કુંભ રાશિમાં ચંદ્રમાના પ્રવેશ કરતા જ કુંભ રાશિમાં વિષ યોગનું નિર્માણ થશે. આજે ચંદ્રમા કુંભ રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. એટલે કે 9 જૂન 2023થી ચંદ્રમા કુંભ રાશિમાં ગોચર કરશે. આ ગોચર બાદ કુંભ રાશિમાં શનિ અને ચંદ્રમાની યુતિનો યોગ બનશે જેને 'વિષ યોગ' કહેવામાં આવે છે.
વિષ યોગ
જ્યારે તમારી રાશિમાં શનિ અને ચંદ્રમા ગ્રહની યુતિ થાય છે ત્યારે જાતકોની રાશિમાં વિષ યોગનું નિર્માણ થાય છે. શનિ ખૂબ જ ધીમી ગતિથી ચાલે છે જેનાથી તેને એક રાશિમાંથી બીજી રાશિમાં જવામાં અઢી વર્ષનો સમય લાગે છે. ત્યાં જ ચંદ્રમા માત્ર બે દિવસમાં રાશિ પરિવર્તન કરી લે છે.
શનિ ન્યાયના પ્રયિ દેવતા છે શનિ દેવને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. ત્યાં જ ચંદ્રમાને મનના કારક જણાવવામાં આવ્યા છે. ચંદ્રમાનો સ્વભાવ ચંચલ છે. જ્યારે આ બન્નેથી અલગ ગ્રહ એક સાથે આવે છે તો વિષ યોગ બને છે અથવા તો એમ કહો કે વિષ યોગની સ્થિતિ બને છે.
આજે કુંભ રાશિમાં ચંદ્રમાએ કર્યો પ્રવેશ
9 જૂન એટલે કે આજે શુક્રવારથી કુંભ રાશિમાં ચંદ્રમાનો પ્રવેશ થઈ ચુક્યો છે. શનિ પહેલાથી જ કુંભ રાશિમાં બિરાજમાન છે. ચંદ્રમા 11 જૂન સાંજે 8.47 મિનિટ સુધી કુંભ રાશિમાં રહેશે. જ્યાં સુધી ચંદ્રમા આ રાશિમાં રહેશે ત્યાં સુધી કુંભ રાશિમાં વિષ યોગ રહેશે.
એટલે કે બે દિવસ કુંભ રાશિના જાતકો માટે ખતરનાક છે આ દિવસે કુંભ રાશિ વાળાને સંભાળીને રહેવાનું રહેશે. આ યોગના કારણે કુંભ રાશિના લોકોએ સતર્ક રહેવાનું રહેશે પોતાના દરેક કામને ધ્યાનથી કરો. આ યોદનું અશુભ ફળ એ છે કે તમે પોતાના કોઈ નજીકના કે સગા સંબંધીઓ દ્વારા ઠગાઈ શકો છો. આ દિવસે તમારે કોઈ પર પણ વિશ્વાસ ન કરવો પોતાનું કામ વધારેમાં વધારે કરો.
વિષ યોગથી બચવાના ઉપાય
આ દિવસે કુંભ રાશિ વાળા શનિદેવની પૂજા કરો.
કુંભ રાશિના લોકો આ દિવસે પીપળના ઝડની નીચે શ્રીફળ વધેરો
હનુમાનજીની પૂજા કરવાથી વિષ યોગ દૂર થાય છે.
શનિવારના દિવસે કુઆમાં કાચુ દુધ નાખવાથી આ યોદનો પ્રભાવ દૂર થશે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)