વિસાવદરમાં તુવેર કૌભાંડ મામલે તપાસ થઇ રહી છે, જે તપાસમાં તુવેરની ગુણી પર ટેગમાં નંબર અને ખરીદી કરવાની તારીખ પણ લખવામાં આવી ન હતી, જેથી વિવાદ થયો છે. જે મામલે તપાસની માગ સાથે આજે ધારાસભ્યો મળીને કલેક્ટરને આવેદન પત્ર આપશે. જોઇએ સમગ્ર અહેવાલ.
વિસાવદરમાં તુવેર કૌભાંડ મામલે તપાસ ચાલી રહી છે. વિસાવદરમાં નબળી ગુણવત્તાની તુવેર ટેકાના ભાવે આપી દેવાનો કારસો સામે આવ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવતા તુવેરની ગુણી પર ટેગમાં નંબર અને ખરીદી કરવાની તારીખ પણ લખવામા આવી ન હતી. જેના કારણે વિવાદ થયો છે.
આ મામલે તટસ્થ તપાસની માગ સાથે આજે ધારાસભ્યો મળીને કલેક્ટરને આવેદન પત્ર આપશે. મહત્વનુ છે કે, જૂનાગઢ જિલ્લામાં ત્રણ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવી. કેશોદ, વિસાવદર અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી થતી હતી. ત્રણ યાર્ડમાંથી કેશોદ અને વિસાવદરમાંથી આવ્યું કૌભાંડ સામે છે.
આ બન્ને જગ્યાએ અધિકારીઓ દ્વારા અલગ-અલગ મોડ્સ ઓપરેન્ડી અજમાવાઈ હતી. કૌભાંડીઓ દ્વારા ખેડૂતોના નામે નબળી તુવેર પધરાવવામાં આવી છે. સાથે જ વિસાવદરમાં નબળી તુવેરની ગુણીઓ ઉપર ટેગ પણ મારવામાં આવ્યા નથી. તુવેરની ગુણીઓ પર ટેગ મારવાના ફરજિયાત હોય છે. તેમ છતા ટેગ અથવા ખેડૂતનુ નામ લખવામાં આવ્યુ નથી. જેથી અધિકારીઓ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.