આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં નવરાત્રી દરમિયાન એક દેવી મંદિરને અનોખ રીતે સુશોભિત કરવામાં આવે છે. જેને લઇને આ મંદિરની ચર્ચા દેશભરમાં થઇ રહી છે. આ મંદિરને 4.5 કરોડની રોકડ અને 4 કિલોના સોનાથી સજાવવામાં આવ્યુ છે. વાસવી કન્યકા પરમેશ્વરી દેવનું મંદિર અનેક શ્રદ્ધાળુઓને આકર્ષી રહ્યું છે.
મંદિરમાં માતાજીની પ્રતિમાને સોનાના આભૂષણથી સુશોભિત કરાય છે. જેમાં 4 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માતાજીની મૂર્તિની પાછળ અને મંદિરમાં પરિસરમાં 4.5 કરોડની રોકડથી ડેકોરેશન કરવામાં આવ્યુ છે. દર વર્ષે નવરાત્રી દરમિયાન માતાજીને શણગાર કરવામાં આવે છે. આ મંદિર 130 વર્ષ જૂનુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. સોશ્યલ મીડિયા પર પણ આ મંદિરની ચર્ચા કરવામાં આવી રહી છે.
મંદિરના ગર્ભગૃહમાં પણ નવી કરન્સી નોટના બંડલથી સજાવટ કરવામાં આવે છે. આ ઉપરાંત ચલણી નોટનું તોરણ બનાવીને મંદિર મુખ્ય દ્વાર પર લગાવવામાં આવ્યુ છે. સાંજના સમયે તથા સવારે આરતી વખતે મોટી સંખ્યામાં ભક્તો આ મંદિરમાં દર્શનાથે આવે છે.