વિશાખાપટ્ટનમ (Visakhapatnam) માં થયેલા ગેસ લીક અકસ્માત (Vizag Gas Leak) માં અત્યાર સુધીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે વિશાખાપટ્ટનમના જિલ્લા અધિકારીએ ગુરુવારે જાણકારી આપી કે એલજી પૉલીમર્સ ફેક્ટરીમાં આ અકસ્માત રેફ્રીજરેટર યુનિટમાં ટેક્નિકલ ખામીને કારણે થયો છે. તેની સાથે જ પોલીસે કંપની મેનેજમેન્ટ વિરુદ્ધ બિન ઇરાદાપૂર્ણ હત્યા અને બેદરકારીના કારણે મોતની એફઆઇઆર નોંધી છે.
એલજી પૉલીમર્સ ફેક્ટરીમાં આ અકસ્માત રેફ્રીજરેટર યુનિટમાં ટેક્નિકલ ખામીને કારણે થયો
હાઇકોર્ટે મોકલી સરકારને નોટિસ
આંધ્રપ્રદેશ હાઇકોર્ટે સ્ટાઇરીન ગેસ લીક મામલાને લઇને રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. સાથે જ સવાલ કર્યો છે કે આખરે વસ્તી ધરાવતા વિસ્તારની વચ્ચે આવી ફેક્ટરીને કામ કરવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી.
વહેલી સવારે થયેલા ગેસ લીકેજના કેટલાક કલાકની અંદર ગોપાલપટ્ટનમ પોલીસે એલજી પૉલીમર્સ લિમિટેડના મેનેજમેન્ટની વિરુદ્ધ ભારતીય દંડ સહિંતાની ધારા 304 (બિન ઇરાદાપૂર્ણ હત્યા), 337 (બીજાના જીવન અને વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં નાંખીને તેને નુકશાન પહોંચાડવું), 338 (ગંભીર રૂપે ઇજા પહોંચાડવી), મામલે એફઆઇઆર નોંધી છે.
કોર્ટે આંધ્રપ્રદેશ હાઇકોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષને આ મામલે એમીકસ ક્યૂરીની નિમણૂક કરતા મામલાની સુનાવણી આવતા સપ્તાહે કરવાનું નક્કી કર્યું. કોર્ટે કહ્યું, જાતે ધ્યાને લેતા આ મામલાને સરકારની વિરુદ્ધનું પગલા રુપે ન જોવું જોઇએ. અમે તેને ધ્યાને એટલા માટે લીધો છે કેમકે તેની સાથે માનવીનું જીવન જોડાયેલું છે.
નોંધનીય છે કે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક રાસાયણિક પ્લાન્ટમાંથી ગેસ લીકેજ થતા લગભગ 5 કિલોમીટરના એરિયામાં ફેલાઇ ગયો. તેમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થઇ ગયા તથા લગભગ 1,000 લોકોને શ્વાસ લેવામાં તકલીફ સહિત અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકારે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
જ્યારે પોલીસે જણાવ્યું છે કે મૃત્યુ પામનારની સંખ્યા વધી શકે છે. કેમકે ઓછામાં ઓછા 20 લોકો વેન્ટિલેટર પર છે. તેમના ઉપરાંત 246 લોકોને વિશાખાપટ્ટનમના કિંગ જોર્જ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. ગોપાલપટ્ટનમના આર.આર. વેન્કટપુરમ ગામથી ઓછામાં ઓછા 800 લોકોને નીકાળવામાં આવ્યા છે અને તેમાંથી મોટાભાગના લોકોને માત્ર પ્રાથમિક સારવારની જરૂર પડી છે.