બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Video: વિરુષ્કા પહોંચ્યા પ્રેમાનંદ મહારાજની શરણમાં, અનુષ્કાએ કહી દિલની વાત

સ્પોર્ટ્સ / Video: વિરુષ્કા પહોંચ્યા પ્રેમાનંદ મહારાજની શરણમાં, અનુષ્કાએ કહી દિલની વાત

Last Updated: 07:09 PM, 10 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલી ફરી એકવાર પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજના ધામમાં ગયા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મહારાજ પાસેથી આશીર્વાદ માંગ્યા હતા. મહારાજે પણ તેમને આશીર્વાદ આપ્યા હતા.

છેલ્લા કેટલાક વર્ષોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ અનેક ધાર્મિક યાત્રાઓ કરી છે. હાલમાં તે બંને પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા છે, અગાઉ તેઓએ બાબા નીમ કરૌલીના કૈંચી ધામની પણ મુલાકાત લીધી હતી. તેઓ બીજી વખત પ્રેમાનંદ મહારાજને મળ્યા છે. વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યો હતો. આ દરમિયાન વિરાટે ઘૂંટણિયે પડીને મહારાજને પ્રણામ કર્યા. જ્યારે અનુષ્કા શર્માએ મહારાજને દંડવત વંદન કર્યું હતુ. અનુષ્કાએ સંત પાસેથી પ્રેમ અને ભક્તિના આશીર્વાદ માંગ્યા હતા.

અનેક વખત વૃંદાવનના લોકપ્રિય સંત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજને મળવા અને તેમના દર્શન કરવા માટે દેશના અગ્રણી વ્યક્તિઓ આવે છે. વિરાટ અને અનુષ્કા બીજી વખત પ્રેમાનંદ મહારાજના દર્શને ગયા હતા. આ દરમિયાન તેમને વિરાટ અને અનુષ્કાના ખબરઅંતર પૂછ્યા હતા. બાદમાં અનુષ્કાએ કહ્યું હતું કે  "ગઈ વખતે જ્યારે અમે આવ્યા હતા, ત્યારે અમારા મનમાં કેટલાક પ્રશ્નો હતા જેથી મેં વિચાર્યું હતું કે હું પૂછીશ, પણ ત્યાં બેઠેલા બધાએ તમને કંઈક એવા જ પ્રશ્ન પૂછ્યા હતા. જ્યારે હું તમારી સાથે મનોમન વાત કરી રહી હતી જે સવાલો મારા મનમાં હતા. બીજા દિવસે પણ તમારી એકાંકિત વાતચીત જોતી ત્યારે કોઈ ને કોઈ વ્યક્તિ તે પ્રશ્ન પૂછી લેતા. તમે બસ મને પ્રેમ અને ભક્તિ આપો".

  • પ્રેમાનંદ મહારાજે વિરાટ-અનુષ્કાને આપ્યા આશીર્વાદ

પ્રેમાનંદ મહારાજે બંનેને આશીર્વાદ આપ્યા અને તેમની પ્રશંસા પણ કરી હતી. સંતે કહ્યું હતું, "આ લોકો (વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા) ખૂબ બહાદુર છે. સંસારની ખ્યાતિ અને સન્માન પ્રાપ્ત કર્યા બાદ ભક્તિ તરફ વળવું ખૂબ મુશ્કેલ છે. અમને લાગે છે કે વિશેષ પ્રભાવ તમારી ઉપર ભક્તિનો પડશે. ભક્તિથી ઉપર કંઈ નથી. નામ જાપ કરો, ખુશ રહો. અને ખૂબ પ્રેમથી જીવો. ખૂબ આનંદમાં રહો."

વધુ વાંચો : જાણી જોઈને વિરાટે યુવરાજનું કરિયર ખતમ કર્યું? પૂર્વ ક્રિકેટરના દાવાથી સનસનાટી, ફિટનેસનો આપ્યો દાખલો

  • BGTમાં કોહલી નિષ્ફળ
    તાજેતરમાં પૂરી થયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં (BGT) વિરાટ કોહલી પોતાના બેટથી કોઈ કમાલ નહતો કરી શક્યો. તેને પાંચ મેચની નવ ઇનિંગ્સમાં ફક્ત 190 રન જ બનાવ્યા હતા. વિરાટના બેટમાંથી ફક્ત એક જ સદી (પર્થ ટેસ્ટના બીજી ઈનિંગમાં અણનમ 100) આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Premanand Maharaj Virat Kohli Anushka Sharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ