કોરોના વાયરસ ફક્ત ફેફસાં પર જ નહીં પણ હ્રદય પર પણ હુમલો કરે છે. હાલ સુધીના તમામ સંક્રમણમાં શ્વાસ લેવામાં તકલીફ, તાવ અને શરદી જેવા લક્ષણો જોવા મળ્યા હતા. પણ ટેક્સાસના એક રિપોર્ટમાં જોવા મળ્યું છે કે આ સંક્રમણ હાર્ટ બીટને પણ પ્રભાવિત કરે છે.
કોરોનાનું સંકટ બન્યું ઘેરું
ફેફસાં જ નહીં હ્રદય પર પણ કરે છે અસર
રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
એમ્સના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયા જણાવે છે કે તમામ દેશોની સાથે જોડાયેલા આંકડા સામે આવી રહ્યા છે. તેનાથી વાયરસના અલગ અલગ પ્રભાવને વિશે ખ્યાલ આવે છે. કોરોનાનો દર 5માંથી 1 કેસ હ્રદયને નુકસાન કરતો જોવા મળી રહ્યો છે. તો અન્ય તરફ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના અનુસાર કોવિડ 19 સંક્રમણથી 10.5 ટકા રોગીઓના મોત હ્રદયના આઘાતથી થયા છે. 60 વર્ષથી વધુની ઉંમર અને પહેલાંથી હ્રદય રોગના કારણે સંક્રમણ બાદ દર્દીને વેન્ટીલેટર કે આઈસીયૂમાં રાખવા પડે છે.
હ્રદયની માંસપેશીઓને કરે છે નુકસાન
જામા કાર્ડિયોલોજી જર્નલમાં પ્રકાશિત કાર્યોવેસ્ક્યુલર સિસ્ટમ પર વાયરસના સંભવિત પ્રભાવ નામના અધ્યયન અનુસાર શરૂઆતમાં દર્દી નિમોનિયાનો શિકાર બને છે. આ સિવાય શરીરમાં શરદી-ઉધરસના લક્ષણ જોવા મળે છે. તેનાથી ઊંડા શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ વાયરસ હ્રદયની માંસપેશીઓને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. જો દર્દી પહેલાંથી જ હ્રદયનો દર્દી છે તો તો તેની સ્થિતિ ઝડપથી ગંભીર બને છે.
પ્રાથમિક તપાસમાં નથી મળતા પરિણામ
સંક્રમણની હ્રદય પર ગતિ ધીરે ધીરે અસર કરે છે. પ્રાથમિક તપાસમાં તેનો ખ્યાલ આવતો નથી. દર્દીની તબિયત સતત નાજુક બનતી જાય છે. હ્રદય રોગના વિશેષજ્ઞોના અનુસાર આ અંગ ખાસ ચર્ચાની જરૂર છે.
કોઈને એક અને કોઈને અનેક અંગો પર કરે છે અસર
વાયરસને આ સમયે સારી રીતે સમજવો એ દુનિયાને માટે ચેલેન્જ સમાન છે. થોડા રિપોર્ટમમાં દર્દીના એક અંગ પર અસર જોવા મળે છે, જ્યારે કેટલાકને અનેક અંગો પર અસર કરે છે. આ માટે સાવધાની સાથે સારવાર કરવી જરૂરી છે. હ્રદયની ગતિ વધવા અને ઘટવાના લક્ષણ દેખાય તો યોગ્ય મોનિટરિંગ જરૂરી છે.