સાસુ-વહુમાં લડાઇ ન થાય તે માટે વિરેન્દ્ર સહેવાગ નંબર વગરની જર્સી પહેરીને મૅચ રમતા હતા. આ જાણકારી તેમણે પોતે જ આપી છે. સહેવાગે સોશ્યલ મિડીયા પર પોતાના શૉ વીરુની બેઠકના 42માં એપિસોડમાં એક ફેન્સના સવાલના જવાબમાં આ જાણકારી આપી.
ફેનના આ સવાલના જવાબમાં મુલ્તાન કે સુલ્તાન નામથી પ્રસિદ્ધ ટીમ ઇન્ડિયાના આ પૂર્વ ઓપનરે કહ્યું તે જ્યારે પહેલીવાર વન ડે ક્રિકેટ વખતે મને નંબર મળ્યો તે 44 હતો, મારી મમ્મી થોડી જ્યોતિષવિદ્યા જાણતી હતી તો તેમણે કહ્યું કે 44 નંબર મારા પર 44 નંબર સુટ નથી કરતો, લગ્ન બાદ પત્નીએ પણ એવું જ કહ્યું. મમ્મીએ 46 નંબર લેવાનુ કહ્યું જ્યારે પત્નીએ 2. તો સાસુ-વહુ વચ્ચે લડાઇ ન થાય તે માટે સહેવાગે નંબર વગરની ટીશર્ટ પહેરીને રમવાનુ નક્કી કર્યું.
સહેવાગને બીજો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારી સૌથી બેસ્ટ ઓડીઆઇ ઇનિંગ કઇ હતી. ત્યારે સહેવાગે કહ્યું કે આમ તો મેં ઘણી મૅચ રમી છે પરંતુ મારી પહેલી સેન્ચ્યુરી શ્રીલંકા વિરુદ્ધ હતી તે મારી બેસ્ટ ઇનિંગ હતી.
તમને જણાવી દઇએ કે, વિરેન્દ્ર સહવાગે ક્રિકેટ સિવાયના મુદ્દાઓ પર પણ ઓપિનીયન રાખે છે. હાલમાં જ તેમણે સુર્યકુમાર યાદવને ટીમમાં ન લેવાને લઇને પણ ટિપ્પણી કરશે.