વીરપુર જલારામ મંદિરના દર્શન કરવા જતા ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા તહેવારોમાં કોરોના સંક્રમણ ફેલાઈ નહીં તે માટે આગામી 6 દિવસ સુધી મંદિર રહેશે બંધ
વીરપુરનું જલારામ મંદિર રહેશે બંધ
અન્નક્ષેત્ર 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી બંધ
તહેવારમાં સંક્રમણ ના ફેલાય તે માટે નિર્ણય
કોરોના મહામારી વચ્ચે વીરપુર જલારામ મંદિરના દર્શન કરવા જતા ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તહેવારોમાં કોરોના સંક્રમણ ફેલાઈ નહીં તે માટે મંદિર પ્રસાશન દ્વારા આગામી 6 દિવસ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વીરપુરનું જલારામ મંદિર 6 દિવસ બંધ
ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણનું પ્રમાણ ઓછું થઈ રહ્યો છે પરતું નિષ્ણાતોએ આગામી સમયમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર ત્રાટકી શકે છે તેવી આગાહી કરવામાં આવી રહી છે ત્યારે વીરપુર જલારામ મંદિરના ગાદીપતિએ મંદિરે આવતા ભક્તો માટે આગામી 2 સપ્ટેમ્બર સુધી મંદિરના પ્રવેશ દ્વારા ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
અન્નક્ષેત્ર પણ 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે
આગામી દિવસોમાં જન્માષ્ટમી સહિત અનેક તહેવાનો આવતા હોવાથી મંદિર પરિષમાં આવતા ભક્તોના હિતને ધ્યાનમાં રાખી આગામી 6 દિવસ માટે મંદિર બંધ રહેશે, સાથે મંદિરમાં અન્નક્ષેત્ર પણ 27 ઓગસ્ટથી 1 સપ્ટેમબ્ર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે અહીં જલારામ મંદિર દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જેટલા વ્યક્તિ જમવા આવે, તે બધાને પ્રસાદ તરીકે જમાડવામાં આવે છે. તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ પણ પ્રકારનું દાન પણ સ્વીકારવામાં આવતું નથી ત્યારે હવે તહેવારોની સિઝનને લઈ મંદિપ ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
2 સપ્ટેમ્બરથી ભક્તો જલારામ મંદિરમાં દર્શન કરી શકશે
રાજ્યમાં હજુ પણ કોરોનાના એક્ટિવ કેસ સામે આવી રહ્યા છે ત્યારે તહેવારોમાં કોરોના સંક્રમણ વધુ ફેલાઈ નહીં તે માટે વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ દ્વારા ભક્તોના હિતમાં મંદિર આગામી 6 દિવસ માટે બંધ રહેશે જેથી હવે મંદિરમાં દર્શને આવતા ભક્તો 2 સપ્ટેમ્બર બાદ જલારામ મંદિરમાં ભગવાનના દર્શન કરી શકશે.