ભારતના ટોચના માઈક્રો બાયોલોજિસ્ટ અને વાયરોલોજિસ્ટ ગગનદીપ કાંગે કહ્યું કે જો કોરોના વાયરસ ફરી રૂપ બદલશે તો ત્રીજી લહેર ઘાતક બની શકે છે.
કોરોનાની ત્રીજી લહેરને લઈને મોટી ચેતવણી
ટોચના વાયરોલોજિસ્ટ કાંગે કરી મોટી આગાહી,
જો કોરોના વાયરસ ફરી રૂપ બદલશે તો ત્રીજી લહેર ઘાતક બની શકે
વાયરોલોજિસ્ટ કાંગનું કહેવું છે કે કોરોનાની ત્રીજી લહેરની આગાહી કોઈ કરી શકતું નથી પણ જો વાયરસ આગળ જઈને મ્યૂટેટ થશે તો તે વધારે ઘાતક બની શકે છે. હાલમાં કોરોનાને લઈને કેરળના મોડલની સોશ્યલ મીડિયામાં ટીકા થઈ રહી છે.
કેરળની સ્થિતિને લઈને શું કહ્યું કાંગે
વાયરોલોજિસ્ટ કાંગે કેરળમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઈને કહ્યું કે આ ન્યાયસંગત નથી. ઉલ્લેખનીય છે કે કોરોનાની લડાઈમાં કેરળ મોડલની સોશ્યલ મીડિયા પર ટીકા થઈ રહી છે. સંક્રમણ વધવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્તવામાં આવેલી બેદરકારી જવાબદાર બની રહી છે. તેઓએ કહ્યું કે અહીં સંક્રમણ વધવા માટે બકરી ઈદ પહેલાનો સમય જવાબદાર છે. અહીં ધીમું વેક્સિનેશન અને સાથે ઓછું સીરો પ્રિવેલન્સ પણ રાજ્યને ઢીલ આપવાની મંજૂરી આપતું નથી.
સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને લીધી આડેહાથે
થોડા મહિના પહેલા સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને આડે હાથ લીધી છે. રાજ્યની વિજયન સરકારે બકરી ઈદના અવસરે 3 દિવસ માટે કોરોનાના નિયમમાં રાહત આપી. કોર્ટે કેરળ સરકારને કલમ 21 અને 144ના પાલન કરવાના આદેશ આપતા કહ્યું કે કાવંડ યાત્રા કેસમાં તેના આદેશનું પાલન કરવામાં આવે.
કેરળની સ્થિતિ પર વાયરોલોજિસ્ટનું મંતવ્ય
વાયરોલોજિસ્ટ ગગનદીપ કાંગનું કહેવું છે કે દરેક રાજ્યની જેમ કેરળ પણ કોરોના પ્રતિબંધના કારણે માનસિક રીતે મુશ્કેલી અનુભવી રહ્યા છે. સરકાર પર લોકોની તરફથી પ્રતિબંધમાં ઢીલ આપવાનું દબાણ છે પણ આ યોગ્ય સમય નથી.કાંગે કહ્યું કે કેરળના લોકો ઓણમનો તહહેવાર પહેલાની જેમ મનાવી શકશે નહીં, લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.
કેરળે કોરોના સંક્રમણનો ગ્રાફ સુધારવાના કર્યા છે પ્રયાસ
કાંગે કહ્યું કે કેરળે કોરોના સંક્રમણનો ગ્રાફ ફ્લેટ કરવામાં સફળતા મેળવી છે. વેક્સિન સપ્લાયમાં મુશ્કેલીના કારણે સંક્રમણને રોકવામાં મુશ્કેલી આવી હતી. કાંગે કહ્યું કે કેરળમાં સીરો પ્રિવેલેન્સ ઓછું છે. રાજ્ય સરકારે વાયરસ સંક્રમણના વિરોધમાં સારી રીતે પોતાના લોકોનો બચાવ કર્યો છે. આઈસીએમઆરના ચોથા સીરો સર્વેમાં કેરળના લોકોમાં એન્ટીબોડીનો દર 44.5 ટકા જોવા મળ્યો હતો.