ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબે સોમવારે આગામી સિઝન માટેમો કેપ્ટનનું નામ જાહેર કર્યું હતું. ટીમનું કહેવું છે કે ટીમ 2018માં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન આગેવાની કરશે. KXIPના કોચ વીરેન્દ્ર સેહવાગે ફેસબુક લાઇવમાં આ ખુલાસો કર્યો હતો. ઘણા લોકો આ સમાચારથી નવાઈ પામ્યા હતા કારણ કે પંજાબમાં યુવરાજ સિંહ અને ક્રિસ ગેઈલ જેવા સ્ટાર્સ છે.
સેહવાગે કહ્યું હતું કે યુવરાજનું નામ કેપ્ટન માટેની ચર્ચામાં આવ્યું હતું પરંતુ ટીમ મેનેજમેન્ટે અશ્વિનના નામ પર સંમત થયા. તેમણે લોંગ ટર્મ વિષે વિચારતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સેહવાગે વધુમાં કહ્યું હતું કે તે હંમેશા ટીમના બોલરને કેપ્ટન બનાવવાનું ઇચ્છા હતી. તેઓ માને છે કે બોલરો રમતને વધુ સારી રીતે સમજી શકે છે. ભૂતપૂર્વ ભારતીય ઓપનરે પણ આશા વ્યક્ત કરી હતી કે ટીમ અશ્વિનની કપ્તાનીમાં સારૂં રમશે.
સેહવાગે કહ્યું 'રું હંમેશાં માનવું છે કે ફક્ત બોલર ટીમના કેપ્ટન બનવા જોઈએ. હું વસિમ અકરમ વકાર યુનિસ અને કપિલ દેવનો મોટો ચાહક છું. આ બધા બોલરો હતા જેમણે કેપ્ટન તરીકે તેમની ટીમને મોટી સફળતા આપી હતી. અશ્વિન પણ આ સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ માટે શ્રેષ્ઠ દેખાવ કરશે."
તેના નિર્ણયના સમર્થનમાં સેહવાગે અશ્વિનની ભવ્યતાનો ઉલ્લેખ કર્યો છે જેના લિધે તેણે કેપ્ટન બનાવ્યો છે.