ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગની પત્ની આરતી સહેવાગ મંગળવારે ગ્રેટર નોઈડા સ્થિત જિલ્લા ન્યાયાલય ગૌતમબુદ્ધનગરમાં હાજર થઇ. રજૂઆત બાદ આરતીને કોર્ટમાંથી મોટી રાહત મળી અને ડીસ્ટ્રીક્ટ કોર્ટે તેમની બિનજામીનપાત્ર વોરંટ રિકોલ અરજી સ્વીકાર કરી.
વિરેન્દ્ર સહેવાગની પત્ની આરતી સહેવાગ જિલ્લા ન્યાયલયમાં હાજર થઇ
આરતીને કોર્ટમાંથી મળી રાહત, ડીસ્ટ્રીક્ટ કોર્ટે રિકોલ અરજી સ્વીકાર કરી
વર્ષ 2019માં આરતી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર થયુ હતુ
ચેક બાઉન્સ કેસમાં જાહેર થયુ હતુ વોરંટ
આરતી સહેવાગ છેલ્લાં લાંબા સમયથી કોર્ટમાં ગેરહાજર હતી અને જેના કારણે વોરંટ જાહેર થયુ હતુ. એડવોકેટ વિરેન્દ્ર નાગરે જણાવ્યું કે ચેક બાઉન્સ કેસમાં આરતી જામીન પર હતી. પરંતુ છેલ્લાં ઘણા સમયથી કોર્ટમાં હાજર થતી નહોતી અને તેના વકીલ દ્વારા પણ કોઈ અરજી આપવામાં આવી નથી. જો કે, હવે કોર્ટે તેની જામીન અરજી સ્વીકારી લીધી છે.
શું છે સમગ્ર કેસ?
મહત્વનું છે કે આની પહેલા આરતી સહેવાગ છેલ્લી વખત 5 જુલાઈ 2019ના રોજ કોર્ટમાં હાજર થઇ હતી. ત્યારબાદ તે કોર્ટ આવી નથી તો તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરી દેવામાં આવ્યું. વોરંટ જાહેર થવાના કારણે આરતીએ ફરીથી વોરંટ રિકોલ કરવાની અરજી આપવી પડી હતી. જસ્ટિસે આરતીની રજૂઆતને સ્વીકારી છે. રિપોર્ટસ મુજબ, આરતી સહેવાગ ફળના અલગ-અલગ ઉત્પાદન બનાવનારી કંપની એસએમજીકે એગ્રો પ્રોડક્ટ્સમાં પાર્ટનર છે. દિલ્હીના અશોક વિહાર સ્થિત એસએમજીકે કંપનીએ લખનપાલ પ્રમોટર્સ એન્ડ બિલ્ડર કંપનીમાંથી ઓર્ડર લીધો હતો. પરંતુ તે પૂર્ણ કરી શકી નહોતી. ત્યારબાદ તેને લખનપાલ પ્રમોટર્સને પૈસા પાછા આપવાના હતા અને એસએમજીકેએ 2.50 કરોડ રૂપિયાનો ચેક આપ્યો, જે બાઉન્સ થયો. અઢી કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં આરતી સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર થયુ હતુ.