મુંબઈમાં રમાયેલી વન ડેદરમિયાન ચાલુ મેચમાં ઋષભ પંતનાં માથા પર બોલ વાગ્યો હતો. જે બાદ તેમને એક મેચમાં આરમાં કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ થયું એવું કે તે બાદ તેઓ એક પણ મેચ રમી જ ન શક્યા. વિરાટ કોહલી એન્ડ કંપનીએ રાહુલને વિકેટકિપર બનાવી દીધો છે અને તે બાદથી ઋષભની ટીમમાં એન્ટ્રી જ નથી થઇ.
વીરેન્દ્ર સેહવાગનું દર્દ છલકાયું
વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર ઉઠાવ્યા સવાલ
કેપ્ટને ખેલાડીઓ સાથે વાત કરવી જોઈએ : સેહવાગ
થોડા સમયથી પંત ક્રિકેટથી દૂર
છેલ્લાં ઘણા સમયથી ઋષભ પંત પ્લેયિંગ 11થી બહાર ચાલી રહ્યા છે. 14મી જાન્યુઆરી 2020ના રોજ મુંબઈમાં છેલ્લી વન ડે રમી હતી. તે બાદથી ઋષભ પંત ક્રિકેટથી દૂર ચાલી રહ્યા છે. તેમના સ્થાને કે એલ રાહુલને વિકેટકિપર બનાવી દેવાયા છે અને ઋષભ પંતને મેચથી દૂર રહેવું પડે છે જેના પર ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગનું દર્દ છલકાયું.
ઋષભ પંતના ટીમમાં સામેલ ન થવા પર વીરેન્દ્ર સેહવાગે મોટું નિવેદન આપ્યું છે. વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે સચિન તેંદુલકરને પણ જો બહાર બેસાડવામાં આવે તો તે પણ કંઈ નહિ કરી શકે છે તે ખાલી પાણી જ પીવડાવી શકશે. કોહલી પોતે કહે છે કે પંત મેચ વિનર છે પરંતુ તેને એક પણ મેચમાં લેતા જ નથી.
અમારા સમય કેપ્ટન ખેલાડી સાથે વાત કરતા હતા
સેહવાગે આગળ કહ્યું કે પંત ત્રણેય ફોરમેટમાં રમે છે પરંતુ જરૂરી નથી કે ત્રણેય ફોરમેટમાં તે સારું પ્રદર્શન કરી શકે. એક ફોરમેટ તો ફ્લોપ જરૂર થાય. આટલું જ નહીં વીરેન્દ્ર સહેવાગે વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર પણ સવાલ ઉભા કર્યા છે. સેહવાગે કહ્યું કે અમારા સમયમાં જે તે કેપ્ટન સૌરવ ગાંગુલી હોય, અનીલ કુંબલે હોય કે પછી રાહુલ દ્રવિડ તે બધા જ ખેલાડીઓ સાથે વાત કરતા હતા. મને નથી ખબર કે વિરાટ બધા ખેલાડીઓ સાથે વાત કરે છે કે નહીં. મીડિયામાં જઈને કેપ્ટન ગમે તે કહે પરંતુ તે બાદ કેપ્ટન અને કોચ તે ખેલાડી સાથે વાત કરે તે મહત્વનું છે.'
ધોનીની કેપ્ટનશીપને કરી યાદ
સેહવાગ અહિયાં જ ન થોભ્યા, તેમણે મહેન્દ્ર સિંહ ધોની પર પણ સવાલ ઉભા કર્યા હતા. ધોની મીડિયામાં કંઈ અલગ કહેતા હતા પરંતુ બેઠકમાં કંઇક અલગ જ વાત કરતા હતા. એક મેચમાં ટોપ 3 ખેલાડી બહાર બેઠા હતા અને રોહિત શર્મા તે મેચમાં રમ્યા આ ટીમના બેઠકની વાત હતી પરંતુ ધોનીએ મીડિયાને કહ્યું કે ત્રણેય ખેલાડી ધીમા ફિલ્ડર છે અને જો હાલની ટીમમાં પણ તે જ થઇ રહ્યું છે તો તે ખુબ ખોટું છે.