ચેન્નઈ સુપર કિંગ્સની કમાન હવે ફરી મહેન્દ્રસિંહ ધોનીના હાથમાં છે. કપ્તાનીના નિર્ણય લઇને પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે મોટું નિવેદન આપ્યું છે.
ચેન્નઈ સુપર કિંગ્સનું આ સિઝનમાં ખરાબ પ્રદર્શન
એમએસ ધોનીએ સિઝન શરૂ થતા પહેલા કેપ્ટનશીપ છોડીએ પહેલી ભૂલઃ સહેવાગ
જો જાડેજાને કેપ્ટન બનાવ્યો જ હતો તો તેને આખી સીઝનમાં કેપ્ટનશીપ કરવી જોઈતી હતીઃ સહેવાગ
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2022માં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. 10માંથી 7 મેચ ગુમાવી ચૂકેલા ચેન્નઈ હવે પ્લેઑફની દોડથી લગભગ બહાર થઇ ચૂકી છે. ટીમે આ સીઝનમાં 2 કેપ્ટનનો ઉપયોગ કરાયો છે છતા પણ ટીમ ફ્લોપ સાબિત થઇ છે. ત્યારે વિરેન્દ્ર સહેવાગે કહ્યું કે, ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ શરૂઆતમાં છોડવાનો નિર્ણય ખોટો હતો.
વિરેન્દ્ર સહેવાગે કહ્યું કે, ચેન્નઈ સુપર કિંગ્સની પહેલી ભૂલ એ હતી કે એમએસ ધોનીએ સિઝન શરૂ થતા પહેલા કેપ્ટનશીપ છોડી અને રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ આપી. આ એક ભૂલ ભર્યો નિર્ણય હતો, જો જાડેજાને કેપ્ટન બનાવ્યો જ હતો તો તેને આખી સીઝનમાં કેપ્ટનશીપ કરવી હતી.
તમને જણાવી દઇએ કે, ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ 2022 શરૂ થવાના 2 દિવસ પહેલા એલાન કરાયું હતું કે એમસએસ ધોનીએ કેપ્ટનશીપ છોડી દીધી છે. એમએસ ધોનીએ રવિન્દ્ર જાડેજાને પોતાના ઉત્તરાધિકારી પસંદ કર્યા હતા.
રવિન્દ્ર જાડેજાની આગેવાનીમાં ચેન્નઇ સુપર કિંગ્સનું પ્રદર્શન ઘણુ ખરાબ રહ્યું, તેના કારણે ટીમે વચ્ચે જ કેપ્ટન બદલવાનો નિર્ણય લીધો. એમએસ ધોની ફરી ચેન્નઈના કેપ્ટન બન્યા અને તેમના કેપ્ટન બન્યા બાદ ટીમે એક મેચ જીતી છે અને એક હારી છે.
ચેન્નઇના ખરાબ પ્રદર્શન પર સહેવાગે કહ્યું કે, પહેલા ટીમની પ્લેઈંગ-11 ઠીક ન હતી. ઋતુરાજે શરુઆતમાં રન ન બનાવ્યા. એમએસ ધોનીએ માત્ર એક જ મેચમાં રન બનાવ્યા. ધોનીએ જે મેચને છેલ્લી ઓવરમાં જીતાડી, ત્યાં પણ ટીમ લગભગ હારી ચૂકી હતી.
તમને જણાવી દઇએ કે, ચેન્નઈ ચાર વખતની આઈપીએલ ચેમ્પિયન છે. ટીમ આ વખતે કોઈ કમાલ કરી ન શકી અને ગત વર્ષની ચેમ્પિયન થયા બાદ પણ આ વખતે પ્લેઓફમાં નિષ્ફળ સાબિત થઇ.