ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાલી રહેલી ટી20 સિરીઝની ત્રીજી મૅચમાં 8 વિકેટે ભારતને કારમી હાર આપી હતી. KL રાહુલના ખરાબ પ્રદર્શનથી ફેન્સ નિરાશ છે ત્યારે કોહલીએ સ્ટેટમેન્ટ આપ્યુ છે.
વિરાટ કોહલીએ હાર બાદ આપ્યુ નિવેદન
KL રાહુલનુ નિરાશાજનક પ્રદર્શન
ઇંગ્લેન્ડ સામે મળી ભારતને હાર
ભારતીય ટીમની બોલિંગ અને ફિલ્ડિંગ ખુબ જ ખરાબ હતી. ઓપનર જ ખરાબ રીતે હાર્યા બાદ બીજા ખેલાડીઓએ પણ ખરાબ પ્રદર્શન કર્યુ હતુ. કે એલ રાહુલની લોકોએ આલોચના કરી હતી પરંતુ કેપ્ટન કોહલીએ રાહુલનો બચાવ કર્યો હતો.
રાહુલનો ફ્લોપ શો
ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી 20માં રાહુલે સતત ત્રીજી મૅચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યુ છે. રાહુલે પહેલી મૅચમાં 1 રન બનાવ્યો હતો અને આઉટ થઇ ગયો હતો. બાકીની બે મૅચમાં તે 0માં આઉટ થઇ ગયો હતો. ટી20માં તે બહુ જ ખરાબ રીતે ફ્લોપ રહ્યા છે. તેના ખરાબ ફોર્મના કારણે લોકો તેની ખુબ આલોચના કરી રહ્યા છે અને તેને ટીમની બહાર કાઢવા માટેની માગ ઉઠી રહી છે.
વિરાટે કર્યો રાહુલનો બચાવ
રાહુલના સતત ખરાબ પ્રદર્શન બાદ પણ વિરાટે તેનો બચાવ કર્યો છે. કોહલીએ કહ્યું કે થોડી મૅચ પહેલા હુ પણ ખરાબ ફોર્મથી પસાર થયો હતો. રાહુલ એક ચેમ્પિયન છે અને આગળની મૅચમાં તેની પાસે જ ઓપનિંગ કરાવીશું. તે રોહીત સાથે જ ઇન્ડિયન ટીમ તરફથી ઓપનીંગ કરશે. તમે સારી બેટિંગ કરો છો તો બાદમાં બધુ ઠીક થઇ જાય છે.
ટી20માં રાહુલ સૌથી વિશ્વાસુ ખેલાડી
કેએલ રાહુલ છેલ્લા થોડા સમયથી ટી20માં ભારતના વિશ્વાસુ ખેલાડી રહ્યાં છે. ઇન્ટરનેશનલ ટી 20 રેંકિંગમાં પણ તે ત્રીજા સ્થાને છે. તેણે પોતાના કરિયરની 48 મેચમાં 40.60ની ઔસતથી 1543 રન બનાવ્યા છે. અને તેનો સ્ટ્રાઇક રેટ 143.13 રહ્યો છે.