ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સતત ફ્લોપ જઈ રહેલા લોકેશ રાહુલનો વધુ એક બચાવ કર્યો છે.
વિરાટ કોહલીએ રાહુલ માટે આપ્યુ સ્ટેટમેન્ટ
રાહુલ માટે કહ્યું, કુછ તો લોગ કહેંગે..
આલોચના માટે કોહલીએ કહી આ વાત
વિરાટે શાયરાના અંદાજમાં કહ્યું, ''કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહેના... છોડો બેકાર કી બાતેં, કહીં બીત ન જાએ રૈના...'' કોહલીએ જણાવ્યું, ''લોકોનો પોતાનો દૃષ્ટિકોણ છે. મને આજકાલ ટીકાઓ સાંભળવાની મજા આવે છે.''
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણીનો પહેલો મુકાબલો પુણેમાં રમાઈ રહ્યો છે. ગઈ કાલે પ્રેસ કોન્ફરન્સમાં વિરાટે કહ્યું, ''કોઈ ખેલાડી જો નીચે પડી રહ્યો હોય તો લોકોને એ ખેલાડીને વધુ નીચે પાડવાની મજા આવે છે. આ બધી મારા માટે ફાલતુ વાતો છે. અમે અમારા ખેલાડીઓને સપોર્ટ કરતા રહીશું અને કોશિશ કરીશું કે તે માનસિક રીતે સ્વસ્થ રહે.''
આ પહેલાં ઈંગ્લેન્ડ સામેની ટી-૨૦ શ્રેણી દરમિયાન રાહુલે ચાર મેચમાં માત્ર ૧૫ રન બનાવ્યા હતા. ટી-૨૦ શ્રેણીમાં તે બે વાર ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. આમ છતાં કોહલીએ રાહુલનો બચાવ કર્યો હતો. કોહલીએ રાહુલે ચેમ્પિયન ખેલાડી ગણાવતાં કહ્યું હતું કે તે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો રહેશે.
ગઈ કાલે જ કેપ્ટન કોહલીએ જણાવી દીધું કે, ''પ્રથમ વન ડેમાં શિખર ધવન અને રોહિત શર્મા જ ઇનિંગ્સની શરૂઆત કરશે. જ્યારે વાત વન ડે ક્રિકેટની હોય છે ત્યારે અમારા મનમાં ધવન અને રોહિતને લઈને કોઈ શંકા હોતી નથી. આ બંને છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણા માટે શાનદાર રહ્યા છે.''
ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડ સામેની ટી-૨૦ શ્રેણીમાં વિરાટે ચાર ઓપનિંગ જોડી અપનાવી હતી. પ્રથમ ટી-૨૦માં રોહિત-ધવન, બીજી મેચમાં રોહિત-ઈશાન, ત્રીજી અને ચોથી ટી-૨૦માં રોહિત-રાહુલ અને પાંચમી ટી-૨૦ મેચમાં રોહિતની સાથે ખુદ કોહલી ઓપનિંગમાં આવ્યો હતો. ધવને જૂન-૨૦૧૯ બાદ રમેલી નવ વન ડેની સાત ઇનિંગ્સમાં ૨, ૩૬, ૭૪, ૯૬, ૭૪, ૩૦ અને ૧૬ રન બનાવ્યા છે. આ દરમિયાન ધવનની સરેરાશ ૪૬.૮૫ની રહી છે.