ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ગુરૂવારથી 5 ટેસ્ટ મેચોની સીરીઝની બીજી મેચ રમવામાં આવશે. ભારે વરસાદને કારણે પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી.
લોર્ડસના મેદાન પર વિરાટ કોહલીનો કંગાળ દેખાવ
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ગુરૂવારે બીજી મેચનો પ્રારંભ
અશ્વિને લોર્ડસ મેદાન પર 2 ઈનિંગમાં 62 રન બનાવ્યાં
જોકે, આ મેચમાં ભારતની જીત પાક્કી હતી પરંતુ પાંચમા અને છેલ્લાં દિવસે ખરાબ હવામાનના કારણે મેચ બંધ રાખવી પડી હતી.
ચેતેશ્વર પુજારાએ ફક્ત 4 રન બનાવ્યાં
પ્રથમ ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા સિવાય કોઈ બેટ્સમેન રમી શક્યો ન હતો. કેપ્ટન વિરાટ કોહલી આઉટ થયો હતો. ચેતેશ્વર પુજારા પણ ફક્ત 4 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે પ્રથમ ઈનિંગમાં 84 રન અને બીજી ઈનિંગમાં 26 રન બનાવ્યાં હતા.
લોર્ડસના મેદાન પર ભારતના વર્તમાન બેટ્સમેનોની વાત કરીએ તો ફક્ત અજિંક્ય રહાણે જ એવા બેટ્સમેન છે, જેનો સ્કોર 100 રનની પાર છે. રહાણેએ આ મેદાન પર 4 ઈનિંગમાં 139 રન બનાવ્યાં છે. રહાણે બાદ આ યાદીમાં પુજારા છે, જેણે 4 ઈનિંગમાં 89 રન બનાવ્યાં. તે વખતે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા રવિન્દ્ર જાડેજાએ લોર્ડસ મેદાન પર 2 ઈનિંગમાં 71 રન બનાવ્યાં છે. આ શ્રેણીની પ્રથમ મેચમાં આઉટ થયેલા કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ તો આ મેદાન પર વધુ ખરાબ છે. તેમણે 4 ઈનિંગમાં માત્ર 65 રન જ બનાવ્યાં છે.
આર અશ્વિનનું સારું પ્રદર્શન
પ્રથમ ટેસ્ટ ટીમમાંથી બહાર થનારા આર અશ્વિને લોર્ડસ મેદાન પર 2 ઈનિંગમાં 62 રન બનાવ્યાં છે. તો તેઓ કોહલીથી ફક્ત 3 રન પાછળ છે. આમ જોવા જઈએ તો એક રીતે અશ્વિનનું પ્રદર્શન કોહલીની સરખામણીએ બેટિંગ કરતા વધારે સારું છે. હવે જોવુ રસપ્રદ રહેશે કે બીજી ટેસ્ટમાં તેમને તક મળે છે કે નહીં.