વિરાટ કોહલીને લઇને અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ બાદ ટી-20 ફોર્મેટમાંથી સંન્યાસ લઇ શકે છે. ગયા વર્ષે યોજાયેલા ટી-20 વર્લ્ડ કપ બાદ પણ તેમણે ટીમનુ સુકાન પણ છોડી દીધુ હતુ.
શું વિરાટ કોહલી ટી-20 વર્લ્ડ કપ બાદ સંન્યાસ લેશે?
કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ કર્યો ખુલાસો
કોહલી લાંબા સમયથી ભારતીય ટીમની સાથે છે
શું કોહલી ટી-20 વર્લ્ડ કપ બાદ સંન્યાસ લેશે?
વિરાટ કોહલીએ ટી-20 એશિયા કપમાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. તેઓ હવે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં પણ યથાવત રાખવા માંગશે. ટીમ તેની પહેલી વોર્મઅપ મેચમાં આજે થોડા સમય બાદ ઓસ્ટ્રેલિયા સામે ઉતરશે. ટીમે પહેલી મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાની છે. આ દરમ્યાન ચર્ચા ચાલી રહી છે કે 33 વર્ષિય કોહલી આ ટી-20 વર્લ્ડ કપ બાદ સંન્યાસ લઇ શકે છે. શું આ વાત સાચી છે, કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ આ બધી વાતો પર ખુલીને વાત કરી છે. યાદ રહે કે ગત ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સુપર-12 રાઉન્ડથી બહાર થઇ ગઇ હતી.
કોહલી માટે આ અંતિમ ટી-20 વર્લ્ડ કપ નહીં હોય: રાજકુમાર શર્મા
રાજકુમાર શર્માએ એક ન્યુઝ સાથેની વાતચીતમાં કહ્યું, હું સ્પષ્ટ કરવા માંગુ છુ કે કોહલી માટે આ અંતિમ ટી-20 વર્લ્ડ કપ નહીં હોય. તેઓ લાંબા સમયથી ભારતીય ટીમની સાથે છે. ફોર્મ, ફિટનેસ, રન બનાવવા અને મેચ જીતવાની ભૂખ હજી પણ તેમનામાં છે. મને આશા છે કે તેઓ આગામી ટી-20 વર્લ્ડ કપ 2026માં પણ જોવા મળશે. મહત્વનું છે કે આવતા વર્ષે ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે. હવે ત્રણેય ફોર્મેટનુ સુકાન રોહિત શર્માની સાથે છે.
કોહલીએ એક મોટો મુકામ પ્રાપ્ત કર્યો
રાજકુમાર શર્માએ કહ્યું કે કોહલીએ એક મોટો મુકામ પ્રાપ્ત કર્યો છે અને દરેક વ્યક્તિ તેના પ્રદર્શનને ઓળખે છે. તેઓ ઉર્જાવાન દેખાય છે અને સારું કરવા માટે ઉત્સુક છે. મને આશા છે કે જો ભારત આ ટી-20 વર્લ્ડ કપને જીતવા માંગે છે તો તેઓ મહત્વની ભૂમિકા નિભાવશે.