નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે 2019માં વર્લ્ડકપ જો ભારત જીતશે તો ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઓક્સપોર્ટ સ્ટ્રીટ પર શર્ટ ઉતારી ફરશે. ખરેખર તો ગાંગુલી લોર્ડસમાં રમાયેલ 2002ના નેટવેસ્ટ સિરિજની ફાઇનલ મુકાબલાને ભૂલી શક્યા નથી.
આ મુકાબલામાં વિજયથી ઉત્તેજિત ગાંગુલીએ પોતાની શર્ટ ઉતારી ફરવાનું શરૂ કર્યું હતું. ગાંગુલીએ કહ્યું છે કે ટીમ ઈન્ડિયા જો 2019માં વર્લ્ડકપ જીતશે તો એકવાર ફરીથી એજ નજારો જોવા મળી શકે છે.
મીડિયા સાથે વાત કરતા ગાંગુલીએ જણાવ્યું હતું કે 2019માં જો વર્લ્ડકપ જીતશે તો કેપ્ટન વિરાટ કોહલી ઓક્સપોર્ટ સ્ટ્રીટ પર શર્ટ ઉતારી દોડશે અને તેમનો સાથ બાકીના ખેલાડીઓ પણ આપશે. તેમણે આગળ જણાવ્યું કે આ દ્રસ્યને કેમેરામાં કેદ કરવા માટે આપણે બધાને કેમેરા તૈયાર રાખવા પડશે.
ગાંગુલીએ કહ્યું કે જો કોહલી પોતાની શર્ટ ઉતારશે તો તેમાં કોઈ આશ્ચર્ય નથી. તેમણે કોહલી પર ભરોસો કરતા કહ્યું કે મને નથી લાગતું કે ફક્ત તે આવું કરીશે તેનો સાથ હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ પણ આપશે. તેમણે જણાવ્યું કે મને 120 ટકા ખાતરી છે કે હાર્દિક પંડિયા અને જસપ્રીત બૂમરાહ પણ આમાં ભાગ લેશે કારણ કે તેમના પણ સિક્સ પેક એબસ છે.
તમને જણાવીએ કે 2002માં લોર્ડસ મેદાનમાં રમાયેલ નેટવેસ્ટ સીરીઝની ફાઈનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. ટીમના વિજય પર ગેલેરીમાં ઊભેલા કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાનું શર્ટ ઉતારી હવામાં ચગાવ્યું હતું હવે તેમનો દાવો છે કે ફરી એકવાર ટીમ ઈન્ડિયાના કેપ્ટન તે જ સ્વરૂપ જોવા મળશે.