ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ઇચ્છે છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિદેશી પ્રવાસ પર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની પત્નીઓને થોડાક સપ્તાહ રોકવવાના નિયમમાં ફેરફાર કરે. એક મીડિયા રિપોર્ટ અનુસાર કોહલી ઇચ્છે છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ પૂરા વિદેશી પ્રવાસ દરમિયાન પત્નીઓને સાથે ઉપસ્થિત રહેવાની પરવાનગી આપે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોહલીએ BCCIના અધિકારીને સલાહ આપી જેમને સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત પ્શાસકોની સમિતિ સુધી આ સંદેશ મોકલ્યો છે. BCCIના સૂત્રએ કહ્યું. 'વિરાટે થોડા ક સપ્તાહ પહેલા ભલામણ કરી પરંતુ આ નિર્ણય BCCIની પોલિસીનો ભાગ છે. મેનેજરને પહેલા ઔપચારિક અનુરોધ કરવાનો હોય છે. અનુષ્કા વિદેશી પ્રવાસ પર કોહલી સાથે રહે છે. જો કે કોહલી હવે ઇચ્છે છે કે જૂના નિયમો પૂર્ણ થાય અને નવી નીતિ આવે જેમાં પત્નીઓને ભારતીય ટીમની સાથે યાત્રા કરવાની અનુમતિ હોય.'
જો કે રિપોર્ટએ એવો દાવો કર્યો છે કે સીઓએનું જલ્દીથી આ મામલે કોઇ નિર્ણય લેવાની શક્યતા નથી. અને એ ત્યાં સુધી રાહ જોશે જ્યાં સુધી બીસીસીઆઇ ચલાવવા માટે એક નવા નિર્વાચિત સંસ્થા ના આવે.
હાલના નિયમો અનુસાર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની પત્નિઓ અથવા ઘરના સભ્યો બે સપ્તાહ સુઝી ટીમની સાથે રોકાવવાની મંજૂરી છે. આ માટે લોકોના મંતવ્ય અલગ અલગ છે તે મોટા પ્રવાસ પર પત્નીઓ અથવા બાળકોને ટીમ સાથે રહેવું જોઇએ કે નહીં.
ક્રિકેટ રમનાર ઘણા દેશોએ પરિવારના સમય પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. આ મામલો ફુટબોલ વિશ્વકપ દરમિયાન પણ સામે આવ્યો જ્યારે કેટલાક દેશોએ પત્નીઓ અને ગર્લફ્રેન્ડને ખેલાડીઓ સાથે રોકાવવા અથવા કેટલાક એ સાથે નહીં રોકાવવાનો નિર્ણય કર્યો.