વિરાટ કોહલી ઇચ્છે છે કે ટીમ ઇન્ડિયાનો મુખ્ય ફાસ્ટ બોલર IPLમાં ભાગ ના લે કારણ કે વિશ્વ કપ માટે એ ફિટ રહે. BCCI ના સૂત્રોએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત પ્રશાસકોની સમિતિથી બેઠકમાં કોહલીને મહત્વની સલાહ આપી.
સૂત્રોએ કહ્યું 'કોહલીએ સલાહ આપી કે મુખ્ય ફાસ્ટ બોલર જેમ કે જસપ્રીત બુમરાહ ભુવનેશ્વર કુમાર અને અન્ય જે આવતા વર્ષે વિશ્વકપમાં રમી શકે છે. એમને ટી20 ટૂર્નામેન્ટમાં ભાગ લેવો જોઇએ નહીં. જો કે કોહલીની આ ભલામણ પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.'
વિશ્વ કપ આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં 30 મે થી 14 જુલાઇ સુધી થવાની છે. જ્યારે આઇપીએલની શરૂઆત એપ્રિલના પહેલા સપ્તાહમાં થવાની શક્યતા છે. આ ટી20 લીગ મે મહિનાના ત્રીજા સપ્તાહ સુધી ચાલી શકે છે. ટીમ ઇન્ડિયાની તરફથી સલાહ આવી છે કે BCCI એ ખેલાડીઓની ભરપાઇ કરે જે વિશ્ન ટૂર્નામેન્ટ માટે આઇપીએલમાં ભાગ લે નહીં. અન્ય લોકોનું માનવુ છે કે આ ફાસ્ટ બોલર આઇપીએલની પહેલા અને બીજા ભાગમાં રમે કારણ કે પૂરતો આરામ મળી શકે.
ફાસ્ટ બોલરો માટેનો વિચાર ભારતની ઇંગ્લેન્ડ અને અન્ય વિદેશી પ્રવાસ રપર ખરાબ પ્રદર્શનના સંબંધમાં આયોજિત બેઠક દરમિયાન થયો. આ બેઠકમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અજિંક્ય રહાણે રોહિત શર્મા કોચ રવિ શાસ્ત્રી વગેરે સામેલ છે.
વિરાટ કોહલીની સલાહ માનવાની સૌથી મોટી ખોટ મુંબઇ ઇન્ડિયન્સને થશે. જેને બુમરાહ અને હાર્દિક પંડ્યાની સેવાઓ મળશે નહીં.