ભારત અને પાકિસ્તાન વચ્ચે 2015માં રમાયેલ વર્લ્ડ કપ મેચ દરમ્યાન વિરાટ કોહલી અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર સોહેલ ખાનની વચ્ચે અથડામણ થઇ હતી.
2015માં વર્લ્ડ કપ મેચ દરમ્યાન કોહલી અને સોહેલ ખાન વચ્ચે થયુ હતુ વાકયુદ્ધ
એમએસ ધોનીએ કોહલીને ચુપ કરાવ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો
ફાસ્ટ બોલર સોહેલ ખાને કોહલીને ખખડાવ્યો હતો
સોહેલ ખાને કોહલી સાથે જૂની લડાઈ પર કર્યો ખુલાસો
પાકિસ્તાની મીડિયા અથવા સોશિયલ મીડિયામાં જેટલી ચર્ચા પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને તેના ક્રિકેટરોની થાય છે, તેટલી ચર્ચા તેઓ ભારતીય ટીમ અને અહીંના સ્ટાર ક્રિકેટરોની કરે છે. પહેલા જે રીતે સચિન તેંડુલકરના નામે પાકિસ્તાની મીડિયા અને ક્રિકેટર ચર્ચામાં આવવાનો પ્રયાસ કરતા હતા. આવી જ કઈક સ્થિતિ હાલમાં વિરાટ કોહલીને લઇને છે. જ્યાં સુધી કોઈના કોઈ પૂર્વ પાકિસ્તાની ખેલાડી અથવા પત્રકાર કોહલીના વખાણમાં કઈક કહે છે અથવા તેની સામે અમુક વિવાદીત નિવેદન આપે છે. આવા જ લોકોની યાદીમાં નવુ નામ જોડાયુ છે સોહેલ ખાનનુ. જેણે કોહલી સાથે જૂની લડાઈ પર ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે કેમ એમએસ ધોનીએ કોહલીને ચુપ કરાવ્યો હતો.
કોહલી સાથે થયુ હતુ વાકયુદ્ધ
2015ના વિશ્વ કપમાં ભારત-પાકિસ્તાન મેચ દરમ્યાન બંને ખેલાડીઓની ટક્કર માત્ર બોલ નહીં બેટીંગથી પણ થઇ હતી, પરંતુ વાકયુદ્ધ પણ થયુ હતુ. એક પોડકાસ્ટ દરમ્યાન તેનુ સ્મરણ કરતા સોહેલ ખાને કહ્યું કે કોહલી તેમને નવા ખેલાડી સમજી રહ્યાં હતા તો તેમણે ભારતીય બેટરને યાદ અપાવ્યું કે તેઓ તેમની પહેલા ક્રિકેટ રમવાનુ શરૂ કરી ચૂક્યા હતા.
સોહેલ ખાને કોહલીને ખખડાવ્યો હતો
એક શોમાં સોહેલ ખાને કહ્યું, "ભારત સામે મેચ પહેલા મેં મીડિયામાં કહ્યું હતુ કે ધોની, કોહલી, રોહિત જે પણ મોટા નામ છે, હું જાણતો નથી. મેં કહ્યું જેટલા પણ બેટર છે, બધાને આઉટ કરીશ. મેં ટોપ ઓર્ડરના પાંચ આઉટ કર્યા. જ્યારે-જ્યારે હું બેટીંગ માટે આવ્યો તો કોહલી મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જુમ્મે-જુમ્મે આઠ દિવસ થયા છે, ક્રિકેટમાં આવ્યા છો અને આટલી વાતો કરો છો. મેં કહ્યું કે જ્યારે ભારત અંડર-19 રમી રહ્યું હતુ તો તારો બાપ ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો હતો."
ધોનીએ કોહલીને સમજાવ્યો
સોહેલે વધુમાં જણાવ્યું કે બંને વચ્ચેના આ વાકયુદ્ધ બાદ પાકિસ્તાની કેપ્ટન મિસ્બાહ ઉલ હક અને ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ બંનેને શાંત પાડ્યા. ધોનીનો ઉલ્લેખ કરીને સોહેલે જણાવ્યું કે ભારતીય કેપ્ટને કોહલીને સમજાવ્યો, ત્યાંથી હટાવ્યો, આ જૂનો ખેલાડી છે.