BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ શનિવારે ખુલાસો કર્યો કે, બાંગ્લાદેશ વિરુદ્ઘ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં રમવા માટે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ માત્ર 3 જ સેકન્ડમાં પોતાની સહમતિ આપી હતી.
ટીમ ઇન્ડિયા પહેલી વખત ડે-નાઇટ મેચ રમશે
ઇડનમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ 22 નવેમ્બરના રમાશે
સૌરવ ગાંગુલીએ BCCI ના અધ્યક્ષ બનવાની સાથે જ એક અઠવાડિયાની અંદર ભારતીય ક્રિકેટ બોર્ડના દ્રષ્ટિકોણમાં બદલાવ કરવામાં સફળ રહ્યો હતો. ગાંગુલી જ્યારે ટેક્નિકલ સમિતિનો સભ્ય હતો ત્યારે 3 વર્ષ પહેલા ડોમેસ્ટિક મેચમાં પણ ગુલાબી બોલથી મેચ રમી હતી.
ટીમ ઇન્ડિયા પહેલી વખત 22-26 નવેમ્બરની વચ્ચે પહેલી વખત ડે-નાઇટ મેચ રમશે. આ ટેસ્ટ મેચ ઇડન ગાર્ડન્સમાં બાંગ્લાદેશ વિરુદ્ઘ રમાશે. આ પહેલા 4 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાઇ હતી. ગાંગુલીએ 24 ઓક્ટોબરના સિલેક્શન કમિટીની બેઠકના પહેલા વિરાટ કોહલીની સાથે બેઠક વિશે વાત જણાવતા કહ્યુ કે, ''ઈમાનદારીથી કહું તો મને ખબર નથી કે શું કારણ હતું કે તે (એડિલેડમાં) ડે નાઇટ ટેસ્ટ મેચ રમવા ઇચ્છતા ન હતા. મેં એક કલાક સુધી વાત કરી અને પહેલો સવાલ એ હતો કે આપણે ડે નાઈટ ટેસ્ટ રમવી પડશે અને માત્ર 3 જ સેકન્ડમાં જનાબ મળી ગયો હતો કે તમે આવું કરી શકો છો. '' ગાંગુલી અહીં પાંચ વખતના ‘ICCના વર્ષના સર્વશ્રેષ્ઠ અમ્પાયર' રહેલા સીમોન ટોફેલના પુસ્તક ‘ફાઈન્ડિંગ ધ ગેપ્સ’ના લોકાર્પણ પર બોલી રહ્યાં હતાં.
સૌરવ ગાંગુલીએ આગળ કહ્યુ કે, ''હું નથી જાણતો કે ભૂતકાળમાં શું થયું અને તેના કારણો શું હતા, પરંતુ મેં એ જાણ્યું કે તેને (કોહલી)ડે નાઈટ ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે.'' મણે કહ્યું કે,’હું જાણું છું કે T20માં પ્રત્યેક સ્ટેન્ડ ભરાયેલું હોય છે જોકે ટેસ્ટ ક્રિકેટમાં યોગ્ય માળખાથી ઓડિયન્સનું કમબેક થઇ શકે છે. આ ભારત માટે શરૂઆત છે. મારું માનવું છે કે આમ કરવાથી ટેસ્ટ ક્રિકેટના ફરીથી સારા દિવસો આવશે.''