વિરાટ કોહલીએ અચાનક ટેસ્ટ ફોર્મેટની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરીને અનેકને ચોંકાવી દીધા છે. કોહલીએ ટેસ્ટના કેપ્ટન પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધી છે. BCCI, બોર્ડ સેક્રેટરી જય શાહ, ભારતીય ક્રિકેટ બોર્ડ(બીસીસીઆઈ), બોર્ડ સેક્રેટરી જય શાહ, ભારતીય ક્રિકેટના પૂર્વ વસીમ જાફર અને આઇપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તથા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોહલીના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે.
BCCI congratulates #TeamIndia captain @imVkohli for his admirable leadership qualities that took the Test team to unprecedented heights. He led India in 68 matches and has been the most successful captain with 40 wins. https://t.co/oRV3sgPQ2G
BCCI કહ્યું કે કોહલીને તેની પ્રશંસનીય લીડરશીપ બદલ ધન્યવાદ. આને કારણે જ કોહલીએ ભારતીય ટીમને અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચાડી છે. તેણે 68 ટેસ્ટમાં સૌથી વધુ 40 મેચ જીતી હતી અને તે સૌથી સફળ ભારતીય કેપ્ટન બન્યો હતો.
Congratulations to @imVkohli on a tremendous tenure as #TeamIndia captain. Virat turned the team into a ruthless fit unit that performed admirably both in India and away. The Test wins in Australia & England have been special. https://t.co/9Usle3MbbQ
જય શાહે શું કહ્યું
બોર્ડ સેક્રેટરી જય શાહે કહ્યું કે કેપ્ટન તરીકે કોહલીની કેરિયર શાનદાર રહી, તેને માટે ધન્યવાદ. વિરાટે ટીમને પરફેક્ટ બનાવી જેને કારણે ભારતીય ટીમે દેશ અને વિદેશમાં શાનદાર પ્રદર્શન કર્યું. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ જીતવી શાનદાર રહી. વસીફ જાફરે કહ્યું કે કોહલીને કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડીયાને વિદેશી જમીન પર ઘણી જીત મળી હતી.
When Virat took over as Test captain, India winning a test overseas was an achievement, now if India lose an overseas test series it is an upset. And that's how far he has taken Indian cricket forward, and that will be his legacy. Congratulations on successful reign @imVkohli 👏🏻 pic.twitter.com/My2MOXNwMc
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કોહલી અંગે ટ્વિટ કરીને જણાવ્યું કે વિરાટ કોહલી, વર્ષોથી તમે લાખો ક્રિકેટ ચાહકોનો પ્યાર મેળવતા રહ્યાં છો. આ ફેઝમાં પણ તેઓ તમારો સાથ આપશે. તમને આવનાર સફ માટે ઘણી ઘણી શુભકામનાઓ.
Dear @imVkohli, you’ve been greatly loved by millions of cricket fans over the years. They will support you in this phase too.
Best wishes for the various other innings to come!
કોહલીએ ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામાની કરી જાહેરાત
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં મળેલા પરાજય બાદ વિરાટ કોહલીએ ટેસ્ટના કેપ્ટન પદેથી પણ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. વિરાટ કોહલીએ ટ્વિટ કરીને ટેસ્ટની કેપ્ટનશીપ છોડવાનું જણાવ્યું હતું. આ પહેલા કોહલી ટી-20 અને વન ડેની કેપ્ટન્સીમાંથી પદ છોડી ચૂક્યો છે. વિરાટ કોહલીએ લીધેલો આ મોટો નિર્ણય છે.
ટ્વિટર પર લખ્યો ઈમોશનલ લેટર
કોહલીએ ટ્વિટર પર લખ્યું કે મેં સાત વર્ષની મહેનત અને સંઘર્ષથી ટીમને સાચી દિશા આપવાની કોશિશ કરી. મેં મારુ કામ પૂરી ઈમાનદારીથી કર્યું અને મેં મારા વતી કોઈ કસર છોડી નથી. કોહલીએ લખ્યું કે કોઈને કોઈ ચીજને ક્યારેય તો રોકાવુ પડે છે અને મારે માટે ટીમ ઈન્ડીયાની ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાનો આ યોગ્ય સમય છે.