ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી આજે રમત જગતમાં શીર્ષ સ્થાન પર છે. ભારત સહિત દુનિયાભરમાં તેના લાખો પ્રશંસક છે. સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોની પછી આ ત્રીજો ખિલાડી છે જેણે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો છે. પરંતુ આજે વિરાટ કોહલી જે સ્થાન પર પહોંચ્યો છે તે માટે તેણે ખૂબ જ મહેનત કરી છે. ડિસેમ્બર 2006માં પોતાના પિતાની મૃત્યુ પછી કેટલાક કલાક બાદ ઉત્તમ નગરમાં રહેનારો એક 18 વર્ષનો છોકરો બેટને લઇને દિલ્હીની તરફથી રણજી ટ્રોફી ટીમના માટે રમવા આવે છે જે પરિસ્થિતનો સામનો આ છોકરો કરી રહ્યો હતો તે ભાગ્યે જ કોઇ કરી શકે છે.
નેશનલ જ્યોગ્રાફી ચેનલ પર ટૂંક સમયમાં ઑન એર થનારી ટેલિવિઝન ડૉક્યુમેન્ટ્રીમાં વિરાટ કોહલી કહે છે કે ''મારા પિતાની મૃત્યુ મારી આંખો સામે થઇ હતી તેમની મૃત્યુના થોડા કલાકો પછી રમવા ગયો હતો.'' પિતાની મૃત્યુ વિશે વાત કરતા વિરાટ કોહલીએ કહ્યુ કે ''તે સમયે હું રણજી ટ્રોફી ક્રિકેટમાં મેચ રમી રહ્યો હતો. હું દિલ્હીની ટીમ તરફથી રમી રહ્યો હતો અને 40 રન કર્યા હતા અને બીજા દિવસે મારે રમવા જવાનું નથી પરંતુ સવારે 3 વાગે અચાનક મારા પિતાની તબિયત બગડી ગઇ. પિતાની તબિયત ખરાબ થયા પછી મને કોઇ મદદ મળી ન હતી. અમે પડોશીઓની મદદ માંગી કેમકે તેઓ ડૉક્ટર હતા. પરંતુ તે રાતે કોઇના તરફથી જવાબ ના આવ્યો જ્યાં સુધી એમ્બ્યૂલન્સ આવે અને અમે લઇ જઇએ ત્યાં સુધી બધુ સમાપ્ત થઇ ગયું હતુ.''
વિરાટ કોહલી કહે છે કે ''હું મારા પિતાની મૃત્યુ પછી વધારે કન્ફ્યૂઝ થઇ ગયો હતો. કોઇ બીજી રીતે કામ કરવાની ઇચ્છા સમાપ્ત થઇ ગઇ હતી. મારું સંપૂર્ણ ધ્યાન મારા સપનોની તરફ હતુ જે મારા પિતાના પણ હતા. આજે હું જે પણ છું તે મારા પિતાના કારણે છે.'' રણજી ટ્રોફીમાં દિલ્હી કર્ણાટકની વિરુદ્ઘ રમી રહી હતી. કોહલી 40 રન બનાવી ચૂક્યો હતો પિતાની મૃત્યુ પછી કોઇને આશા ન હતી કે તે ગ્રાઉન્ડ પર આવશે પરંતુ કોહલી આવ્યો અને 90 રન બનાવીને દિલ્હીને ફૉલો ઑનથી બચાવી લીધુ. આજે વિરાટ કોહલી ઇન્ડિયન ટીમનો કેપ્ટન બની ગયો હતો.