T-20 વર્લ્ડ કપ બાદ T-20 આંતરરાષ્ટ્રીયમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરનાર વિરાટ કોહલીએ આજે વધુ એક મોટો નિર્ણય લીધો છે.
કોહલીનો વધુ એક મોટો નિર્ણય
વિરાટ કોહલી RCBની કેપ્ટન્સી છોડશે
IPL 2021 બાદ RCBની કપ્તાની છોડશે
કોહલીએ જાહેરાત કરી છે કે તે યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલ 2021 ના બીજા ભાગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટનપદેથી રાજીનામું આપશે. ઉલ્લેખનીય છે કે, વિરાટે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, IPL 2021 પૂર્ણ થયાં બાદ તેઓ આ કેપ્ટનશીપ છોડશે.
Virat Kohli to step down from RCB captaincy after #IPL2021
“This will be my last IPL as captain of RCB. I’ll continue to be an RCB player till I play my last IPL game. I thank all the RCB fans for believing in me and supporting me.”: Virat Kohli#PlayBold#WeAreChallengerspic.twitter.com/QSIdCT8QQM
ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બરે વિરાટ કોહલીએ T-20 વર્લ્ડ કપની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી અને હવે કોહલીએ આરસીબીના કેપ્ટન પદેથી પણ રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
T-20 વર્લ્ડ કપ પછી કેપ્ટનશીપ છોડવાની જાહેરાત
કોહલીએ જણાવ્યું કે હું ફક્ત ટીમ ઈન્ડીયાની આગેવાની લેવામાં જ નસીબદાર રહ્યો નથી પરંતુ મારી પૂરી તાકાતથી ટીમ ઈન્ડીયાની આગેવાની કરી છે. ટીમ ઈન્ડીયાના કેપ્ટન તરીકે મારી સફરમાં મને યોગદાન આપનાર તમામ લોકોનો આભાર માનું છું. કોહલીએ કહયું કે ટી20 કેપ્ટનશીપ દરમિયાન મેં ટીમને મારી પૂરી તાકાત આપી છે અને હું ભવિષ્યમાં પણ ટી20 ટીમ મારુ સર્વશ્રેષ્ઠ યોગદાન આપતો રહીશ.
આ ત્રણ કારણોથી કોહલીએ T-20 વર્લ્ડ કપની કેપ્ટનશીપ છોડી (1) રોહિતનું દમદાર પ્રદર્શન
છેલ્લા થોડા વર્ષોમાં રોહિત શર્માએ ટી20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે ઘણું ઊંચું સ્થાન મેળવ્યું છે. પોતાના કેપ્ટન તરીકેના કાર્યકાળમાં રોહિતે મુંબઈ ઈન્ડીયન્સને સતત બે ખિતાબ અપાવવાની સાથે કુલ પાંચ ખિતાબ અપાવ્યાં છે અને રોહિતનો આ રેકોર્ડ વિરાટ પર ભારે પડ્યો. અને ટીમના પસંદગીકારોની વચ્ચે ચર્ચા ચાલી હતી કે રોહિત જેવા શાનદાર ખેલાડીને પણ કેપ્ટનશીપની તક આપવી જોઈએ અને રોહિતની ઉંમર પણ એક બાબત છે જેની પર જેટલો બને તેટલો વહેલો નિર્ણય લેવો જરુરી હતો.
(2) એક પણ ICC એવોર્ડ ન મળ્યો
છેલ્લા ઘણા વર્ષથી ટીમ ઈન્ડીયાની કેપ્ટનશીપ કરી રહેલા વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે ઘણી મહત્વની સીરિઝ પોતાને નામે કરી છે પરંતુ ભારતને તેની કેપ્ટનશીપમાં વ્હાઈટ બોલના ફોર્મેટમાં કોઈ આઈસીસી ખિતાબ સાંપડ્યો નથી. કોહલી પર આ મુદ્દે સતત દબાણ હતું અને સવાલ પણ ઉઠવા લાગ્યા હતા. વિરાટના નિર્ણય પાછળ પણ આ બાબત રહી છે. જોકે થોડા દિવસ બાદ શરુ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ જીતીને પહેલો આઈસીસી ખિતાબ હાંસલ કરવાની વિરાટ પાસે તક છે.
(3) બેટિંગ પર પડી રહી છે અસર
છેલ્લા લગભગ બે વર્ષમાં વિરાટની બેટિંગ કથળી છે, તેની બેટિંગ પહેલા જેવી રહી નથી. 2019 પછી કોહલીએ ટેસ્ટમાં કોઈ સદી ફટકારી નથી તે વાતથી તેની બેટિંગ કેવી છે તે સમજી શકાય છે. વધારે કામના દબાણને કારણે કોહલીની બેટિંગ પર અસર થવા લાગી છે અને કોહલીએ ખુદ લેટરમાં તેનો સ્વીકાર પણ કર્યો છે.