ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે અને દુનિયાભરમાં લોકો તેની શાનદાર બેટિંગના વખાણ કરી રહ્યા છે. દુનિયાભરના દિગ્ગજ વિરાટ કોહલીના વખાણ કરી રહ્યા છે પરંતુ હવે આ યાદીમાં એક નામ ટીમ ઇન્ડિયાના પૂર્વ વિવાદિત કોચ ગ્રેગ ચૈપલનું સામેલ થયું છે.
આ પૂર્વ કાંગારૂ કેપ્ટનના ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન શાનદાર રન કરી રહ્યો છે ત્યારે વિરાટ કોહલીના વખાણ થઇ રહ્યા છે. ગ્રેગ ચૈપલે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગ અને લીડરશિપ સ્કીલને લઇને ખૂબ જ વખાણ કર્યા.
ગ્રેગ ચૈપલે કહ્યુ કે ''ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ અને વનડે માં દુનિયાના નંબર 1 બેટ્સમેન છે. તેણે નોટિંઘમમાં ઇંગ્લેન્ડને માત આપીને ટીમ ઇન્ડિયાના બીજો સૌથી સફળ કેપ્ટન બનો ગયો છે તે શાનદાર બેટ્સમેન અને કેપ્ટન છે. ''
એક ઇન્ટરવ્યૂમાં વાતચીત કરતા ચૈપલે કહ્યુ કે ''કોહલીએ પોતે સાબિત કર્યુ છે કે તે એક સફળ બેટ્સમેન છે. વિરાટની આક્રમક કેપ્ટન્સી પણ તેણે આગળ લઇ જશે.''
વિરાટે નોટિંઘમ ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં અંજ્કિય રહાણે સાથે મળીને 159 રનની પાર્ટનરશિપ કરી ચૈપલે આ પાર્ટનરશિપને નિર્ણાયક ગણાવતા કહ્યુ કે ''વિરાટ કોહલીએ રહાણેની સાથે પહેલી ઇનિંગમાં જે પાર્ટનરશિપ કરી તે ટ્રેટ બ્રિજ ટેસ્ટ મેચમાં સૌથી નિર્ણાયક હતી.''
ઉલ્લખેનીય છે કે વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ટેસ્ટ સીરિઝમાં અત્યાર સુધી 440 રન કરી દીધા છે. પાંચ મેચોની સીરિઝમાં મજબૂતીથી જીતના પાટા પર પરત ફરેલી ટીમ ઇન્ડિયાની સામે ઇંગ્લેન્ડ 1-2થી આગળ છે. તમને જણાવી દઇએ કે ગ્રેગ ચૈપલ પૂર્વ ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૌરવ ગાંગુલી સાથેના વિવાદોને લઇને ચર્ચામાં રહ્યા હતા.