અહેવાલ અનુસાર ભારતીય ટીમ જો UAEમાં થવા જઈ રહેલી ટી 20 વર્લ્ડ કપમાં સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી તો રોહિત શર્માને ટી20ના કેપ્ટન બનાવી શકાય છે.
વિરાટ 'ડર્ટી ગેમ'નો શિકાર
પૂર્વ પાકિસ્તાની કેપ્ટને આપ્યું મોટુ નિવેદન
કોહલીની કેપ્ટનશીપને લઈને કહી આ વાત
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સલમાન બટે ચોંકાવનારો દાવો કર્યો છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ વખતે વિરાટ કોહલીના અમુક નિર્ણયોથી નાખુશ હતા. ભારતીય ટીમ જો UAEમાં થનાર ટી20 વર્લ્ડ કપમાં સારૂ પ્રદર્શન નહીં કરે તો વિરાટની જગ્યા પર રોહિત શર્માને ટી20ના કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
કોહલીને 'ડર્ટી ગેમ'નો નિશાન બનાવવામાં આવી રહ્યા છે
સલમાન બટનું માનવું છે કે ભારતીય મીડિયા કેપ્ટન વિરાટ કોહલીને 'ડર્ટી ગેમ'નો નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સલમાન બટનું નિવેદન મીડિયામાં આવેલીએ ખબરો બાદ આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલીની જગ્યા પર રોહિત શર્માને ટી 20ના કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
કોહલીની કેપ્ટનશીપ ખતરામાં?
સલમાન બટે પોતાના યુટ્યુબ ચેનલ પર કહ્યું, "વાત થઈ રહી છે કે વિરાટ કોહલીની કેપ્ટનશીપ ખતરામાં છે. તેમણે હાલમાં જ ઈંગ્લેન્ડમાં એક સીરીઝ રમી, પોતાની ટીમને શાનદાર રીતે જીત અપાવી પરંતુ ટીમ પસંદગીને લઈને તેમની નિંદા કરવામાં આવી રહી છે." સલમાન બટે કહ્યું, "જોકે તેમ છતાં વિરાટ કોહલી સતત પોતાની ટીમને સપોર્ટ કરી રહ્યા છે અને બદલામાં ટીમ સારૂ પ્રદર્શન કરી રહી છે. તેમની ટીમ દરેક ફોર્મેટમાં ટોપ પર છે અને સામે ટી20 વર્લ્ડ કપ છે. માટે મીડિયામાં આ પ્રકાપની ખબર આવવી એક 'ડર્ટી ગેમ' સિવાય બીજુ કંઈ નથી. "
વિરાટ કોહલી એક સારા કેપ્ટન
સલમાન બટે વિરાટ કોહલી અને રોહિત શર્માની તુલના પર કહ્યું કે રોહિત એક ખૂબ સારા કેપ્ટન છે. પરંતુ કોહલીની બધા ફોર્મેટૂન્સમાં જીતનો ટકાવારી સારી છે. મેં આ પહેલા પણ કહ્યું છે. રોહિત શર્મા એક ખૂબ જ સારા કેપ્ટન છે. ખૂબ સફળ છે. પરંતુ આ બધી વસ્તુઓ વિશે હાલ વાત કરવાનો સમય નથી. મને લાગે છે કે આ સમય નથી અને આ વ્યક્તિએ ભારતીય ક્રિકેટ માટે ખૂબ સારૂ કામ કર્યું છે. આ ખબર ફરી સામે આવી રહી છે, પરંતુ ખરાબ આશા છે જે ન હોવી જોઈએ.