ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિયાનને સપોર્ટ કર્યુ છે, જેમાં તેણે દેશવાસીઓને 5 એપ્રિલ એટલે કે આજે રાતે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી દીવા સળગાવવા માટે કહ્યુ છે. વિરાટે પોતાના ટ્વિટર પર પીએમ મોદીને ટેગ કરીને કહ્યુ કે, ''સ્ટેડિમયમની શક્તિ તેના પ્રશંસકોથી છે, ભારતની ભાવના આપણા લોકોથી છે આજે રાતે 9 વાગે 9 મિનિટ સુધી... દુનિયાને બતાવીએ કે આપણે બધા એકસાથે છીએ.''
કોરોના વાયરસના વિરુદ્ઘની લડતમાં ભારત એકજૂથ થઇ ગયુ છે
પીએમ મોદીએ આજે રાતે 9 વાગે 9 મિનિટ માટે દીવા સળગાવવા માટેની અપીલને લોકોનું સમર્થન મળી રહ્યુ છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટ કરીને પીએમ મોદીને સપોર્ટ કર્યો છે.
વિરાટે લખ્યુ કે, 'સ્ટેડિયમની શક્તિ તેના પ્રશંસકોથી છે, ભારતની ભાવના આપણા લોકોથી જ છે'
આ સાથે કોરોના વાયરસ વિરુદ્ઘની આ લડતમાં ડૉક્ટરો, પોલીસ કર્મીઓ તથા એવા તમામ યુદ્ઘાઓ તરફ ઇશારો કરતા કહ્યુ કે, ''આપણા સ્વાસ્થ્ય યોદ્ઘાઓને દેખાડીએ કે આપણે તેમની સાથે ઉભા છીએ. ''
The power of the stadium is in its fans.
The spirit of India is in its people.
Tonight 9pm for 9min
Let’s show the world, we stand as ONE.
Let’s show our Health Warriors,
We stand behind them.
Team India - IGNITED.@narendramodi@PMOIndia
આ પહેલા હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહ જેવા ક્રિકેટર્સે પીએમ મોદીના મેસેજને ફૉલો કરવાની અપીલ કરી હતી. આ સિવાય ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ સહિત અન્ય ક્રિકેટર્સે પીએમ મોદીને કોરોનાની સામેની લડતમાં સાથ આપવા માટે કહ્યુ છે.
Let’s shine our lights on the Frontline Warriors who are showing us the path from this darkness!
Let’s ignite the spirits of a billion strong TEAM INDIA @BCCI
From our Dressing room, to your Doorstep, the Lakshman Rekha has been drawn...
That feeling of every fan shining their phone’s flashlight & bursting into applause & cheer when we deliver a knockout performance, is unparalleled! @BCCI
Team India, let’s hit this virus out of the park!
April 5, 9 PM, 9 minutes
તમને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીની સ્થિતિ વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો એક વિડિયો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ''કોરોના વિરુદ્ધ અત્યાર સુધી 9 દિવસના લોકડાઉનમાં લોકોએ અનુશાસનનો પરિચય કરાવ્યો છે. આ રવિવારે 5 એપ્રિલ રાત્રે 9 વાગે સૌએ 9 મિનિટના ઘરની લાઈટ બંધ કરી મીણબતી, ટોર્ચ અથવા મોબાઈલ ફ્લેશ લાઈટથી પ્રકાશ કરશો.''