ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 T-20 સીરિઝની પહેલી મેચ આજે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ છેલ્લે 9 જુલાઈ 2019ના વર્લ્ડ કપ સેમિફાઈનલમાં એકબીજા સામે રમ્યા હતા અને ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને હરાવી વર્લ્ડ કપ 2019માંથી બહાર કરી હતી. હવે 6 મહિના પછી બંને ટીમ ફરી એકવાર સામસામે છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. 24 જાન્યુઆરીથી શરૂ થનારી સીરિઝની પૂર્વ સંધ્યાએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પરાજયનો ઉલ્લેખ કર્યો હતો.
આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 T-20 સીરિઝની પહેલી મેચ
2019ના વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું
વિરાટ માને છે કે તેની ટીમ ન્યૂઝીલેન્ડ સામે બદલો લેવાનું વિચારી રહી નથી. કોહલીએ કહ્યું, જો તમે એવું વિચારતા પણ હોવ તો આ લોકો એટલા સારાં છે કે તમે બદલો લેવાના ઝોનમાં જઈ ના શકો. આ મેદાન પર પ્રતિસ્પર્ધાત્મક બનવાની વાત છે. આ એ ટીમ છે જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાને કેવી રીતે હેન્ડલ કરવું તેના ઉદાહરણો આપ્યા છે. જ્યારે આ ટીમ વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચી ત્યારે અમને આનંદ થયો હતો. જ્યારે તમે ગુમાવો છો, ત્યારે તમારે ઘણી વસ્તુઓ જોવી પડે છે.
કોહલીએ કહ્યું વિદેશની મુસાફરીમાં આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી
બેંગલુરુમાં રમાયેલી છેલ્લી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને મ્હાત આપી હતી અને બીજા જ દિવસે ન્યૂઝીલેન્ડ જવા રવાના થઈ ગઈ હતી. કોહલીએ કહ્યું કે, કાર્યક્રમ થોડો સારો હોવો જોઈએ, ખાસ કરીને જ્યારે આપણે વિદેશની મુસાફરી કરીએ છીએ. કોહલીએ વધુમાં કહ્યું, 'સીધા સ્ટેડિયમ જવું બહુ વહેલું છે. એવામાં એવી જગ્યાએ જવું જે ભારતીય સમય અનુસાર સાડા સાત કલાક આગળ છે, એ ટાઈમિંગ મેચ કરવું મુશ્કેલ છે. આશા છે કે, આ બાબત ભવિષ્યમાં ધ્યાનમાં લેવામાં આવશે.'
આ વર્લ્ડ કપનું વર્ષ છે અને દરેક ટી20 મહત્વપૂર્ણ છે
વધુમાં તેણે કહ્યું, આ વર્લ્ડ કપનું વર્ષ છે અને દરેક ટી20 મહત્વપૂર્ણ છે. તેથી અમે અમારું ફોકસ હટાવી ન શકીએ. કોહલીએ સ્પષ્ટ કરી દીધું છે કે, રાહુલ વનડેમાં નંબર -5 પર બેટિંગ કરશે અને ટી -20 માં ટોપ ઓર્ડર આપશે. તેણે કહ્યું, 'વનડેમાં અમે એ જ કરીશું જે રાજકોટમાં કર્યું હતું અને રાહુલને નંબર -5 પર રાખીશું. ટી-20 માં વસ્તુઓ બદલાય જાય છે અને તેથી રાહુલને ટોચના ક્રમમાં બેટિંગ કરવા દઈશું.