સાઉથ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણીની હાર બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટન્સીમાંથી પણ રાજીનામું આપી દીધું છે. વિરાટ કોહલી ટી-20 અને વન ડેની કેપ્ટન્સીમાંથી પદ છોડી ચૂક્યો છે.
વિરાટ કોહલીનો મોટો નિર્ણય
હવે ટેસ્ટની કેપ્ટનશીપ પણ છોડી
ટ્વિટ કરીને આપી જાણકારી
પહેલા ટી-20 વર્લ્ડ કપ ત્યાર બાદ વનડે અને ટેસ્ટની કેપ્ટનશીપ છોડવાની વિરાટ કોહલીએ મોટી જાહેરાત કરી છે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં મળેલા પરાજય બાદ વિરાટ કોહલીએ ટેસ્ટના કેપ્ટન પદેથી પણ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. વિરાટ કોહલીએ ટ્વિટ કરીને ટેસ્ટની કેપ્ટનશીપ છોડવાનું જણાવ્યું હતું. આ પહેલા કોહલી ટી-20 અને વન ડેની કેપ્ટન્સીમાંથી પદ છોડી ચૂક્યો છે.
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં મળેલા પરાજય બાદ વિરાટ કોહલીએ આ મોટો નિર્ણય લીધો છે. કોહલીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. કોહલીએ ટી-20 વર્લ્ડ કપ પહેલા ટી-20ની કેપ્ટનશીપ છોડી હતી જ્યારે વનડે ટીમની કેપ્ટનશીપ પદેથી તેની હકાલપટ્ટી કરી નાખવામાં આવી હતી.
ટ્વિટર પર લખ્યો ઈમોશનલ લેટર
કોહલીએ ટ્વિટર પર લખ્યું કે મેં સાત વર્ષની મહેનત અને સંઘર્ષથી ટીમને સાચી દિશા આપવાની કોશિશ કરી. મેં મારુ કામ પૂરી ઈમાનદારીથી કર્યું અને મેં મારા વતી કોઈ કસર છોડી નથી. કોહલીએ લખ્યું કે કોઈને કોઈ ચીજને ક્યારેય તો રોકાવુ પડે છે અને મારે માટે ટીમ ઈન્ડીયાની ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાનો આ યોગ્ય સમય છે. તેણે લખ્યું, 'આ સફરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ મારા પ્રયત્નો અને વિશ્વાસ ક્યારેય ડગ્યા નથી.
BCCI congratulates #TeamIndia captain @imVkohli for his admirable leadership qualities that took the Test team to unprecedented heights. He led India in 68 matches and has been the most successful captain with 40 wins. https://t.co/oRV3sgPQ2G
વિરાટના ટ્વીટ પર બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટમાં તેના યોગદાનનો આભાર માન્યો છે. બોર્ડે ટ્વીટ કર્યું, 'બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને તેની પ્રેરણાદાયી નેતૃત્વ ક્ષમતા માટે અભિનંદન આપે છે જેણે ટીમને ઉંચાઈઓ પર પહોંચાડી છે. તેણે 68 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 40માં જીત મેળવી હતી.કોહલીએ પોતાના મેસેજમાં આગળ લખ્યું કે, 'હું હંમેશા દરેક બાબતમાં મારું 120 ટકા આપવામાં વિશ્વાસ રાખું છું અને જો હું એવું ન કરી શકું તો હું જાણું છું કે આ કરવું યોગ્ય નથી. મારે મારા હૃદયમાં સંપૂર્ણ સ્પષ્ટતા હોવી જરૂરી છે અને હું ટીમ સાથે અપ્રમાણિક ન હોઈ શકું.
કોહલી ટી-20ની કે્પ્ટનશીપ છોડી ચૂક્યો છે, વનડેના કેપ્ટન પદેથી હટાવાયો છે
ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડ કપ પહેલા કોહલીએ ટી-20ના કેપ્ટન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. BCCIએ વિરાટને વનડેના કેપ્ટન તરીકે પણ હટાવી દીધો હતો અને હવે કોહલીએ ટેસ્ટના કેપ્ટન પદેથી પણ રાજીનામું આપી દીધું છે. જે બાદ ઘણો વિવાદ થયો હતો. કોહલીએ વનડે ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધા બાદ પસંદગીકારો અને વિરાટ કોહલી વચ્ચે વિવાદ થયો હતો.