હજુ બુધવારના જ દિવસે મેડમ તુસાદ મ્યુઝિયમમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ કરવામાં આવ્યુ હતુ. મ્યૂઝિયમમાં વિરાટના આ સ્ટેચ્યૂની ઝલક મેળવવા માટે ફેન્સને મોટી ભીડ થઇ ગઇ અને તેની સાથે સેલ્ફી ખેંચાવવા માટે અફરાતફરી થઇ જતા ફેન્સથી વેક્સ સ્ટેચ્યુનો જમણો કાન તૂટી ગયો.
તમને જણાવી દઇએ કે મેડમ તુસાદ મ્યૂઝિયમમાં ફેન્સને અહીંયા સેલિબ્રેટીઝના સ્ટેચ્યૂ સાથે ફોટો ખેંચવાની પરવાનગી આપવામાં આવે છે. મેડમ તુસાદ મ્યૂઝિયમની ખાસ નીતિ છે કે મ્યૂઝિયમ જોવા આવેલા ફેન્સને પોતાના હીરોનું સ્ટેચ્યૂ જોઇને તેમની વચ્ચે ઉભા રહેવાનો અહેસાસ કરી શકે.
સંભવત: દિલ્હીના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં આ પહેલો મોકો છે જ્યારે કોઇ સ્ટેચ્યૂને નુકસાન થયું હોય. વિરાટના પૂતળાના અનાવરણ પછી મ્યૂઝિયમમાં સામાન્ય જનતાની અપેક્ષાથી વધારે ભીડ થતા અફરા-તફરીમાં વિરાટનો કાન તૂટી ગયો. જોકે આ ઘટના પછી મ્યૂઝિયમ મેનેજમેન્ટ દ્વારા તરત જ સ્ટેચ્યુનું સમારકામ કરાવી લીધું અને સ્ટેચ્યુને ફરીથી તેના સ્થાને મુકી દીધું.