વર્લ્ડ કપમાં બુધવારે ટીમ ઇન્ડિયાના અભિયાનની શરૂઆતના એક દિવસ પહેલા જ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ઇરાદા સ્પષ્ટ કરતા કહ્યુ કે, ''અમને ફરક નથી પડતો કે સામેની ટીમ સાથે અમે પહેલા રમ્યા છે કે નહી. અમારુ ફોકસ માત્ર સારા પરફૉર્મન્સ પર રહેશે.''
ટીમને બેલેન્સિંગ ગણાવતા કેપ્ટને કહ્યુ કે, ''પિચની કન્ડિશન ભલે ગમે તેવી હોય, અમે દરેક સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છીએ. હાલની ટીમ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ કરતા વધારે સારી છે, જ્યાં ટીમને ફાઇનલ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.'' નોંધનીય છે કે, ઇંગ્લેન્ડમાં રમાયેલીએ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાને ટીમ ઇન્ડિયાની હરાવીને ટાઇટલ જીત્યુ હતુ.
ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકાની સામે વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરી રહ્યુ છે. આ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ કહ્યુ કે, 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં અમે સારુ પ્રદર્શન કર્યું હતું. ફાઇનલ અમે ઉત્તમ ટીમને હરાવ્યા હતા. કોહલીએ કહ્યુ કે, તે પછી જ ટીમમાં જરૂરી બદલાવ કરવામાં આવ્યા હતા. વચ્ચેની ઑવરમાં વિકેટ લેવા માટે ટીમમાં રિસ્ટ સ્પિનર ( યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ)નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટીમને વધારે બેલેન્સ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કોહલીએ કેદાર જાધવની ફિટનેસ વિશે જણાવ્યું કે, ''હવે તે નેટ્સમાં બેટિંગ કરી રહ્યો છે અને આશરે ફિટ થઇ ચૂક્યો છે. ટીમ ઇન્ડિયાને કેપ્ટને કહ્યુ કે, જાધવ એક મહત્વનો ખિલાડી છે અને ટીમમાં તેના હોવાથી બેલેન્સ થાય છે.'' કોહલીએ ટીમ ઇન્ડિયાનું સંયોજન પર કહ્યુ કે, ટીમ પાસે રિસ્ટ સ્પિનર છે અને આંગળીના પણ. તે પિચ, પરિસ્થિતિ અને વિપક્ષી ટીમને જોતા ટીમની પસંદગી કરીશું. ટીમ ઇન્ડિયાના કેપ્ટને કહ્યુ કે, ''આ કારણે વર્લ્ડ કપ માટે સારી ટીમ પસંદ કરવામાં આવી છે. ''
કેપ્ટન પોતાના પહેલા વર્લ્ડ કપ મુકાબલા વિશે કહ્યું કે ''આ ગર્વનો વિષય છે.'' વિરાટ 20111 અને 2015 વર્લ્ડકપમાં પણ ટીમનો ભાગ હતો. આ બંનેમાં તેણે પહેલા મેચમાં સેન્ચુરી કરી હતી. કોહલીએ જ્યારે આ મેચમાં પણ સેન્ચુરી ફટકારવા વિશે પૂછ્યુ તો કહ્યુ કે, ''જ્યારે તમે સારુ રમો છો ત્યારે લોકો તમારી પાસે આશા રાખે છે. આ તમારી રમતનો ભાગ છે.''
વિરાટ કોહલીએ કહ્યુ કે, આ વર્લ્ડકપ કોઇપણ કેપ્ટન માટે પરીક્ષા જેવો જ છે. અહીં તમારે નવ મેચ રમવાના છે. દરેક ટીમ સામે અલગ રણનીતિ બનાવીને ઉતારવાનું છે. આ લાંબી ટૂર્નામેન્ટમાં દરેક વખતે ટીમ અલગ હશે અને તમારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જ આપવું પડશે. સાઉથ આફિકાના ઝડપી બોલર ડેલ સ્ટેનની ખભાની ઇજાના કારણે વર્લ્ડકપની બહાર થઇ ગયો. આના પર કોહલીએ કહ્યું કે, ''સ્ટેન બહાર થયો એટલે મને દુઃખ છે. સ્ટેન બહાર થયો એટલે મને દુખ છે. સ્ટેન IPL રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભાગ હતો. '' વિરાટ ક્હ્યુ કે, ''સ્ટેન રમતને એન્જોય કરી રહ્યો હતો. ''
વિરાટથી જ્યારે વર્લ્ડ કપમાં બની રહેલા 300 કરતાં વધારે સ્કરોને લઇને સવાલ કર્યો તો તેમણે કહ્યુ કે, ''જો પિચ અનૂકુળ મળી, તો અમે આ ટાર્ગેટ સુધી આગળ વધશો. જો અનુકૂળ ન રહીં તો વાતાવરણ અનુસાર રહેશું. અમારી પાસે બોલિંગ એટેક છે. જે કોઇપણ સ્કોરની રક્ષા કરી શકે છે.'' શું વર્લ્ડ કપમાં એક ઈનિંગમાં 500 રન બની શકે છે? આ સવાલ પર કોહલીએ કહ્યુ કે, ''વર્લ્ડ કપમાં આ હાલ તો શક્ય નથી. આ ટૂર્નામેન્ટમાં ખૂબ જ પ્રેશર હોય છે. જોકે તેણે કહ્યુ કે, ભવિષ્યમાં આ સ્કોર શક્ય નથી.''