ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાની સાથે થનારા ટેસ્ટ સીરિઝમાં ઉગ્ર નહીં થવાનો નિર્ણય લીધો છે. કોહલીએ કહ્યું કે "હું પૂરી રીતે આશ્વસ્ત છું કે આ મારો છેલ્લો ઓસ્ટ્રેલિયા પ્રવાસ છે. હું કોઈ પણ ઓસ્ટ્રેલિયાઈ ખેલાડી સાથે ટકરાવની જરૂર નથી અનુભવી રહ્યો." બંને ટીમ વચ્ચે 6 ડિસેમ્બરથી એડિલેડમાં પહેલો ટેસ્ટ રમાશે.
ઓસ્ટ્રેલિયાના એક સ્પોર્ટસ રેડિયો સાથે વાત કરતાં કોહલીએ કહ્યું કે "હું પોતાને વિશ્વાસ અપાવી ચુક્યો છું કે આ મારો અંતિમ પ્રવાસ છે. હું હવે વધુ પરિપકવ અને આત્મવિશ્વાસથી ભરેલો છું. મને કોઈને કંઈ જ સાબિત કરવાની જરૂર નથી. કેરિયરની શરૂઆતમાં હું રોષે ભરાતો કે વિરોધીઓને ઉકસાવવાનું વધુ વિચારતો હતો પરંતુ હવે મારું સમગ્ર ધ્યાન ટીમને જીતાડવા પર છે. એટલે આ બધી વસ્તુઓને મહત્વપૂર્ણ નથી માનતો."
ઓસ્ટ્રેલિયાઈ ખેલાડી મેદાન પર આક્રમક રહેશેઃ કોહલી
- કોહલીએ કહ્યું "તમે ગત વખતની ઘટનાઓને મેદાન પર બીજી વખત નહીં જુઓ. જે રીતે ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓનું વલણ છે તેનાથી મને લાગે છે કે તેઓ આક્રમક રહેશે. તેઓ હંમેશા આ રીતે જ રમે છે. મને નથી લાગતું કે તેઓ કોઈ અન્ય કોઈ રીતે રમવાનું પસંદ કરે. સીરીઝ ઘણી જ રોમાંચક બનવા જઈ રહી છે."
'મારા અનુભવથી ઘણું બધુ શીખ્યો છું'
- કોહલીએ ગત વર્ષે 2014-15માં ઓસ્ટ્રેલિયાઈ પ્રવાસમાં આક્રમકતા દેખાડી હતી પરંતુ ભારતીય કેપ્ટનનું માનવું છે કે તેને પોતાના તે અનુભવથી ઘણું શીખ્યો છે. આ સીરીઝ દરમિયાન ગત વખતની જેમ કોઈ પણ ઘટના નહીં થાય. કોહલીએ 73 ટેસ્ટમાં 24 સેન્ચુરીની મદદથી 6 331 રન બનાવ્યાં છે. આ દરમિયાન તેની સરેરાશ 54.57 રહી છે.