વિરાટ કોહલીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે એક સમયે લોકોથી ભરેલા રૂમમાં પણ તેઓ એકલતા અનુભવતા હતા. જાણો વિગતવાર
વિરાટ કોહલીએ પોતે ડિપ્રેશનમાં હતા એ સમય વિશે જણાવ્યું
લોકોથી ભરેલા રૂમમાં પણ એકલતા અનુભવતો હતો - વિરાટ કોહલી
2014ની ઘટના
લોકોથી ભરેલા રૂમમાં પણ એકલતા અનુભવતો હતો - વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઝિમ્બાબ્વેનાં પ્રવાસ પર છે. એશિયા કપ સુધી વિરાટ કોહલીને આરામ આપવામાં આપ્યો છે. એશિયા કપ પહેલા કોહલીએ આપેલ એક ઇન્ટરવ્યૂમાં મેન્ટલ હેલ્થને લઈને વાતચીત કરી હતી. વિરાટે કહ્યું હતું કે - હું એવા સામેનો પણ અનુભવ કરી ચૂક્યો છું, જ્યારે મારા રૂમમાં મને સમર્થન આપનારા મારા પોતાના લોકો હાજર હોવા છતાં પણ હું એકલતા અનુભવતો હતો.
કોહલીએ શેર કર્યો પોતાનો અનુભવ
વિરાટ કોહલીએ આગળ કહ્યું કે મને ખ્યાલ છે કે આવું ઘણા લોકો સાથે બન્યું હશે અને તેઓ આ સમજશે. એટલા માટે ખુદ માટે સમય કાઢો અને ખુદ સાથે જોડાઓ . જો આમ કરવામાં તમે અસફળ રહો છો, તો વાત બગડી જશે. વિરાટ કોહલીએ જે અનુભવ વિશે જણાવ્યું, તે વર્ષ 2014ની વાત છે.
વર્ષ 2014 હતું અત્યંત ખરાબ
જણાવી દઈએ કે વર્ષ 2014માં વિરાટ ઈંગ્લેન્ડનાં પ્રવાસે હતા અને એક બેટ્સમેન તરીકે તેઓ ફેલ રહ્યા હતા તેમજ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. જોકે સમય સાથે તેમણે મહેનત કરી અને ડિપ્રેશનમાંથી બહાર નીકળ્યા. વિરાટે 2014માં ઈંગ્લેન્ડમાં 5 ટેસ્ટનાં 10 દાવમાં 13.50ની સરેરાશે 134 રન બનાવ્યા હતા. તેમણે 1,8,25,0,39,28,0,7,6 અને 20 રન બનાવ્યા હતા.
એક ખેલાડી તરીકે મળતા પડકારોને લઈને વિરાટનો જવાબ
વિરાટે આ વાત એક ખેલાડી તરીકે મળતા પડકારોનો જવાબ આપતા કહી હતી. તેમણે કહ્યું કે ક્રિકેટ જએવી રમતમાં ભૂલને કોઈ જ સ્થાન નથી. તે મને હંમેશા પડકાર આપે છે. હું પોતાનાં પ્રદર્શનમાં સુધાર કરવા પર સતત ધ્યાન આપું છું. એક એથલીટ તરીકે મારુ ફોકસ બસ એ વાત પર રહે છે કે મારી પોતાની ટીમને જીત અપાવવાની છે.