આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019માં પુરસ્કારની પ્રબળ દાવેદાર માનવામાં આવેલી ભારતીય ક્રિકેટ ટીમની સેમીફાઇનલમાં ચોંકાવનારી હાર બાદ બીસીસીઆઇ એક્શનના મૂડમાં છે.
બીસીસીઆઇ હવે ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનસીમાં મોટો ફેરફાર કરી શકે છે. સૂત્રો પ્રમાણે વર્લ્ડકપમાં ભારતની હાર બાદ બીસીસીઆિ રોહિત શર્માને વન ડે અને ટી 20નો કેપ્ટન બનાવી શકે છે. તો બીજી બાજુ વિરાટ કોહલીને માત્ર ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે યથાવત રાખી શકાય છે.
જો આવું થયું તો ભારતીય ટીમમાં મોટા ફેરફાર આવી શકે છે. સાથે જ વિરાટ કોહલી માટે આ માટો ઝટકો સાબિત થઇ શકે છે. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે ટીમને સારી બનાવવા માટે ફેરફારની પ્રક્રિયા જલ્દી શરૂ કરવામાં આવશે.
અધિકારીએ કહ્યું, 'આ સાચો સમય છે કે રોહિત શર્મા 50 ઓવર ફોર્મેટની કેપ્ટનસી સંભાળી લે અને એના માટે માનસિક રૂપથી પણ તૈયાર રહે.' જો કે અધિકારીએ વર્તમાન કેપ્ટન વિરાટ અને ઉપ કેપ્ટન રોહિતની વચ્ચે વિવાદની અફવાઓને નકારી દીધી.
અધિકારીએ કહ્યું, 'હવે સમય જૂની વસ્તુઓ પર વાત કરવાનો નથી, પરંતુ આગળની તૈયારીનો છે. આ જ સમય છે કે હવે આગળના વર્લ્ડ કપની તૈયારી શરૂ કરી દેવી જોઇએ. નવી રીતે ટીમની તૈયારીઓ પર વિચાર કરવો જોઇએ અને નવી યોજનાઓ બનાવવી જોઇએ. અમે જાણીએ છીએ કે ચીમને ફરીથી નવી રીતે જોવા અને કેટલાક વિશેષ ક્ષેત્રોમાં ફેરફારની જરૂર છે. રોહિત એના માચે સૌથી સારો વિકલ્પ હોઇ શકે છે.'
અધિકારીએ જણાવ્યું કે બીસીસીઆઇમાં સુપ્રીમ કોર્ટની નિયુક્ત COA ના પ્રમુખ વિનોદ રાય પણ કહી ચુક્યા છે કે જલ્દી જ એક સમીક્ષા બેઠક થશે. એમાં કોચ રવિ શાસ્ત્રી, કેપ્ટન વિરાટ કોહલી અને ચીફ સેલેક્ટર એમએસકે પ્રસાદ મોજૂદ રહેશે.
જણાવી દઇએ કે વર્લ્ડકપથી બહાર થયા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટઇન્ડિઝનો પ્રવાસ કરશે. 2 ઓગસ્ટથી શરૂ થનાર આ પ્રવાસ પર ટીમ ઇન્ડિયા ત્રણ વનડે, ત્રણ ટી 20 ઇન્ટરનેશનલ અને બે ટેસ્ટ મેચોની સીરિઝ રમશે.
પહેલા ટી 20, વન જે સીરિઝ અને પછી ટેસ્ટ સીરિઝ રમાશે. વિરાટ કોહલીને ટી 20 અને વન ડે સીરિઝ માટે આરામ આપવામાં આવશે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ આરામ આપવામાં આવી શકે છે.