વર્લ્ડ કપ શરૂ થતા પહેલા ICC ના સંવાદ કાર્યક્રમમાં એને કહ્યું કે લગ્ન બાદ તમે વધારે જવાબદાર થઇ જાવ છો. લગ્ન બાદ તમે ચીજોને સારી રીતે સમજવાનું શરૂ કરી દો છ, તમે દરેક ચીજ પર જોર આપવાનું શરૂ કરી દો છો.
ટીમ ઇન્ડિયાના 'મિશન વર્લ્ડકપ' શરૂ થતા પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટો ખુલાસો કર્યો છે. વિરાટ કોહલીનું કહેવું છે કે અનુષ્કા શર્માની સાથે લગ્ન થયા બાદ ક્રિકેટમાં ફેરફાર થયો છે અને સાથે સાથે કેપ્ટનસી પણ સુધરી ગઇ છે. જણાવીએ કે મંગળવારે ભારતને બાંગ્લાદેશની સાથે પ્રેક્ટિસ મેચ રમવાની છે. ત્યારે ભારતના મિશન વર્લ્ડકપની લડાઇ 5 જૂનથી શરૂ થવા જઇ રહી છે.
વર્લ્ડ કપ શરૂ થતા પહેલા ICC સંવાદ કાર્યક્રમમાં એને કહ્યું કે, 'લગ્ન બાદ તમે વધારે જવાબદાર થઇ જાવ છો. લગ્ન બાદ તમે ચીજોને સારી રીતે સમજવાનું શરૂ કરી દો છ, તમે દરેક ચીજ પર જોર આપવાનું શરૂ કરી દો છો.'
ઇન્ટરવ્યૂમાં વિરોટ કોહલીએ કહ્યું, 'હું પહેલા કરતા ઘણા જવાબદાર થઇ ગયો છું, એનાથી મારી કેપ્ટનસીમાં બદલાવ આવ્યો છે. હું માણસ તરીકે અને ખેલાડી તરીકે પણ બદલાઇ ગયો છું.' ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને બોલીવુડ સુપરસ્ટાર અનુષ્કા શર્માના લગ્ન 11 ડિસેમ્બર 2017માં થયા હતા.
વિરાટ કોહલીની સામે આ વખતે ટીમને કપ જીતાડવાનો પડકાર છે. એને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે જો જૂની ઑસ્ટ્રેલિયા ટીમથી કોઇ પ્લેયરને પસંદ કરવાનો હોય તો એ કોણે પસંગ કરશે. વિરાટે મહાન સ્પિનર શેન વૉર્નનું નામ લીધું.