IPLની હાલની સિઝનમાં ખરાબ પરફોર્મન્સના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટૂર્નામેન્ટની બહાર થઇ ચૂકી છે. હાર પછી વિરાટ કોહલીએ ટીમના દિગ્ગજોની ટીકા પણ કરી. આજ મુદ્દા પર IPL બેંગ્લોર ટીમના પૂર્વ માલિક વિજય માલ્યાએ નારાજગી દર્શાવી છે.
માલ્યાએ RCBના કેપ્ટન વિરાટ કોહલીની એક તસવીર ટ્વીટ કરતા લખ્યુ, ' હંમેશાં એક મજબૂત લાઈનઅપ રહે છે પણ માત્ર પેપર પર. લાકડીની ચમચીથી તબાહ.
Always a great line up but sadly on paper only. Devastated with the wooden spoon. https://t.co/6uYYbXJxVq
જણાવી દઈએ કે, છેલ્લી મેચ બાદ વિરાટે ઈન્સ્ટાગ્રામ પર દર્શકોની ફોટો શૅર કરી હતી. આ ફોટોમાં RCBના ફેન્સે બેનર પક્ડયુ હતુ અને તેના પર લખ્યુ હતુ કે, ''અમે હંમેશાં પોતાનું માથું ઊંચું રાખીએ છીએ અને RCB માટે અમારો પ્રેમ ક્યારેય ખત્મ નહી થાય.'' આ તસવીરને શેર કરતા કોહલીએ લખ્યું, ''બધાના પ્રેમ અને સપોર્ટ માટે ધન્યવાદ, પ્રશંસકો, ગ્રાઉન્ડ સ્ટાફ અને સહાયક કર્મચારીઓ સહિત પૂરી ટીમ. આવતા વર્ષે વધુ મજબૂત કમબેક કરીશું.''
આ સિવાય વિરાટ કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ઘ ટૂર્નામેન્ટની છેલ્લી મેચ જીત્યા પછી કહ્યુ કે, ''અમે બીજા હાફની વાત કરીએ તો પહેલા હાફ કરતા સારુ ફોર્મ હતુ. 6 મેચ હાર્યા પછી IPL જેવી ટૂર્નામેન્ટમાં પરત ફરવું મુશ્કેલ છે. અમે તે સ્થાન પર ના રહ્યા જ્યાં અમારે રહેવુ હતુ પરંતુ બીજો હાફ શાનદાર રહ્યો અને લાગ્યુ જ નહી કે સિઝન ખરાબ રહ્યુ. અમે છેલ્લી 7 માંથી 5 મેચમાં જીત મેળવી અને 1 મેચમાં કોઇ પરિણામ ના નીકળ્યુ. અમને આ વાત પર ગર્વ છે.'' આ રીતે 11 પોઈન્ટ્સ સાથે ટેબલમાં સૌથી તળિયે રહી હતી. આ વર્ષે પણ RCBના બોલર્સ અને બેટ્સમેનોનું પ્રદર્શન કંગાળ રહ્યું અને તે જ તેમની હારનું કારણ રહ્યુ.