ભારતીય ક્રિકેટ ટીમ 3 ઑગસ્ટથી પોતાના વેસ્ટઇન્ડીઝ પ્રવાસની શરૂઆત કરશે. આ પ્રવાસ પર ટીમ ઇન્ડિયા ત્રણ ટી 20 મેચોની સીરિઝથી શરૂઆત કરશે જેના પહેલા બે મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે.
વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયા સોમવારે રવાના થશે. આ વખતે ટીમના રવાના થતા પહેલા કેપ્ટન વિરાટ કોહલી પ્રેસ કૉન્ફ્રેન્સમાં સામેલ થશે નહીં. સામાન્ય રીતે ટીમ ઇન્ડિયાના વિદેશ પ્રાસ પર જતા પહેલા પ્રેસ કોન્ફ્રેન્સ આયોજિત કરવામાં આવે છે જેમાં કેપ્ટન અને કોચ સામેલ હોય છે.
વર્લ્ડકપ બાદથી જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માની વચ્ચે ટકરાવની માહિતી આવી રહી છે. એવામાં આ મામલો પ્રેસ કોન્ફ્રેનસમાં પણ ઊઠાવી શકાય છે.
માનવામાં આવી રહ્યું છે કે એના કારણે વિરાટ પ્રવાસ પર રવાના થતા પહેલા થનારી પ્રેસ કોન્ફ્રેન્સથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે કારણે કે એમને લાગે છેકે એમાં આ વિવાદ સંબંધી પ્રશ્ન હાવી થઇ જશે.
વર્લ્ડકપ માટે રવાના થતા પહેલા વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ કેવી રીતે એક લાંબી પ્રેસ કૉન્ફ્રેન્સમાં ભાગ લીધો હતો, તો બીજી બાજુ વિદેશ પ્રવાસ માટે રવાના થતા પહેલા પણ 'પારંપરિક' પ્રેસ કૉન્ફ્રેન્સ થતી રહી છે, પરંતુ આ વખતે પ્રેસ કૉન્ફ્રેન્સને ટાળી નાંખવામાં આવી છે.
આ ઉપરાંત ટીમ ઇન્ડિયા વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પર ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચોની સીરિઝ પણ રમશે.