સતત 2 વિદેશી પ્રવાસમાં મળેલી હારની અસર ટીમમાં પણ જોવા મળી રહી છે. હવે સવાલ એ છે કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીની વચ્ચે બધુ ઠીક ચાલી રહ્યુ છે કે નહીં.
તાજેતરમાં જ ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન પ્રેક્ટિસ મેચના મુદ્દા પર કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી બંનેની અલગ-અલગ મંતવ્ય સામે આવ્યા હતા. પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ કે ''તે વધારે પ્રેક્ટિસ મેચ રમવાના પક્ષમાં નથી.'' તો બીજી તરફ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યુ કે ''ઓસ્ટ્રલિયામાં ટેસ્ટ સીરિઝ શરૂ થયા પહેલા વધુમાં વધુ પ્રેક્ટિસ મેચ આયોજિત કરવા માટે બોર્ડને અનુરોધ કર્યો છે.''
ટીમ ઇન્ડિયા 21 નવેમ્બરથી શરૂ થનારી 3 મેચની T20 સીરિઝથી ઓસ્ટ્રેલિયામાં પ્રવાસની શરૂઆત કરશે. ટીમ ઇન્ડિયા 3 T-20 3 વનડે અને 4 ટેસ્ટ મેચ માટે 21 નવેમ્બરથી 18 જાન્યુઆરીની વચ્ચે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે.
તમને જણાવી દઇએ કે ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ પહેલાની પ્રેક્ટિસ મેચને કેપ્ટન કોહલીએ સમયની બર્બાદી ગણાવી હતી પરંતુ ટીમના હેડ કોચ કેપ્ટન કોહલીની સાથે વાતના પક્ષમાં નથી.
ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડના પ્રવાસ પર ટેસ્ટ સીરિઝ પહેલા 1 જ પ્રેક્ટિસ મેચ રમી હતી. અસેક્સનું વિરુદ્ઘ મેચ પહેલા 4 દિવસોની હતી જે પછી ટીમ ઇન્ડિયાના આગ્રહ પર 3 દિવસની કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રેક્ટિસ મેચ વગર કોઇ તૈયારી ના હોવાના કારણે ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકામાં 1-2 અને ઇંગ્લેન્ડમાં 1-4થી સીરિઝથી હારી હતી.