પુલવામા હુમલા બાદ પાકિસ્તાનની સાથે ક્રિકેટ રમવાના પ્રશ્ન પર કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાનું વલણ સ્પષ્ટ કર્યું. રવિવારે ઓસ્ટ્રેલિયાની સાથે થનારી પહેલી ટી20 મેચથી પહેલા વિરાટે કહ્યું કે ટીમનું સ્ટેન્ડ એ જ હશે જે દેશ, બીસીસીઆઇ અને સરકાર નક્કી કરશે. એમને કહ્યું કે લીધેલો નિર્ણય એને અને સમગ્ર ટીમને મંજૂર હશે.
પ્રેસ કોન્ફરન્સમાં પુલવામાના સવાલ પર વિરાટે કહ્યું, 'આતંકી હુમલાની ઘટના દુ:ખદ હતી. હુમલામાં માર્યા ગયેલા શહીદોના પરિવારોને પ્રત્યે મારી અને ટીમ તરફથી સંવેદનાઓ છે. આ સંબંધમાં દેશ, સરકાર અને બોર્ડ જે પણ નિર્ણય લેશે, અમને મંજૂર હશે.'
જણાવી દઇએ કે પુલવામાં હુમલામાં પાકિસ્તાન સ્થિતિ આતંકી સંગઠન જેશ એ મોહમ્મદનું નામ આવ્યા બાદ દેશભરમાં એના પ્રત્યે ગુસ્સો છે. પાકિસ્તાનથી દરેક પ્રકારના સંબંધ તોડવાની વાતો થઇ રહી છે. એમાં ક્રિકેટ પણ સામેલ છે. બંને ટીમોને હાલમાં આમનો સામનો 16 જૂને વર્લ્ડ કપ 2019માં થવાનો છે. આ મેચ રમાય કે નહીં એની પર હાલ બીસીસીઆઇએ કોઇ નિર્ણય લીધો નથી.
નોંધનીય છે કે વિરાટ કોહલી પહેલા પાકિસ્તાન કેપ્ટન સરફરાઝ અહમદનું નિવેદન આવ્યું હતું. એમને પુલવામા આતંકી હુમલા બાદ ક્રિકેટને નિશાનો બનાવવાને નિરાશાજનક કહ્યું હતું.