હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલ દ્વારા ટીવી શોમાં કરવામાં આવેલી ટિપ્પણી પર હવે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ નિવેદન આપ્યુ છે. વિરાટ કોહલીએ પંડ્યાના સમર્થન નથી કર્યુ પરંતુ કહ્યુ કે આ ઘટના પછી પણ ટીમના પ્રતિ જે ભાવના છે તેમાં ઘટાડો નહી થાય. તમને જણાવી દઇએ કે CoAના પ્રમુખે જણાવ્યુ કે બંને કિકેટર્સ પર 2 વનડે મેચના પ્રતિબંધ લગાવવાની સિફારિશ કરી છે જેના કારણે સ્પષ્ટ નથી કે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ઘ શનિવારે શરૂ થનારી વનડે સીરિઝમાં તેણે જગ્યા મળશે કે નહીં.
ઓસ્ટ્રેલિયામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યુ કે ''ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હોવા પર અને જવાબદાર ક્રિકેટર હોવાને કારણે અમે તેના નિવેદન અને વિચારોની સાથે સંબંધ નથી રાખતા તે તેમના નિજી વિચારો છે.'' કોહલીએ આગળ કહ્યુ કે ''ટીમ ઇન્ડિયાની નજરથી જોઇએ તો ચેન્જિંગ રૂમમાં અમારા વ્યવહારમાં કોઇ બદલાવ નહી આવે.'' વાતચીતમાં કોહલીએ તેમ પણ કહ્યુ કે ''તેનું ધ્યાન હાલમાં માત્ર વર્લ્ડ કપ પર છે.''
વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યુ કે ''બંનેને ટીમમાં લેવાનો નિર્ણય CoAના નિર્ણય પછી લેવામાં આવશે. '' તમને જણાવી દઇએ કે CoAના સભ્યને આ પ્રતિબંધના મામલા પર કાયદાકીય માંગ રાખતા લીગલ સેલ પાસે મોકલવવામાં આવ્યો છે. જોકે તેના પર હજુ નિર્ણય આવ્યો નથી કે પ્રતિબંધ છે કે નહીં.