વિરાટ કોહલીએ (Virat Kohli) ભારતીય ટી-20 ટીમની કેપ્ટનશીપ એટલે છોડવી પડી કારણ કે તેના વર્કલોડને મેનેજ કરી શકાય અને તે પોતાની બેટિંગ પર ધ્યાન આપી શકે.
ODIમાં પણ જશે વિરાટની કેપ્ટનશીપ?
વિરાટ કોહલીની કેપ્ટનશીપને લઈને લેવાશે નિર્ણય
આ બે લોકો લઈ શકે છે નિર્ણય
ICC T-20 વર્લ્ડ કપ 2021 બાદ વિરાટ કોહલીએ ભારતીય ટી-20 ટીમની કેપ્ટનશીપ પદેથી રાજીનામું આપી દીધુ હતું. હવે તેની વનડે ઈન્ટરનેશનલની કેપ્ટનશીપ પણ ખતરામાં છે. માનવામાં આવી રહ્યું છે કે વન ડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ કોઈ મોટા નિર્ણય લઈ શકે છે.
વિરાટની વન ડે કેપ્ટનશીપ પર નિર્ણય
વિરાટ કોહલી (Virat Kohli)એ વન ડે કેપ્ટનશીપ પર બની રહેવા પર નિર્ણય આ અઠવાડિયે હવે ચેતન શર્માની આગેવાની વાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિ (National Selection Committee) દક્ષિણ આફ્રીકાના આગામી પ્રવાસ (South Africa Tour) માટે ટીમ ઈન્ડિયા (Team India)નું સેલેક્શન કરશે.
દક્ષિણ આફ્રીકી પ્રવાસનું શુ થશે?
BCCIના ટોપ અધિકારીઓએ કહ્યું છે કે દક્ષિણ આફ્રીકામાં કોવિડ-19નો નવો વેરિએન્ટ મળી આવ્યા છતાં હજુ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર થઈ જશે જોકે તે સ્થિતિ પર નજીકના લોકો નજર રાખીને બેઠા છે.
2022માં ભારત રમશે ફક્ત 9 વન ડે
વર્ષ 2022માં મોટાભાગના ટી 20 ઈન્ટરનેશન મેચ રમવામાં આવશે જેમાં ઓસ્ટ્રેલિયામાં રમવામાં આવતી ટી20 વર્લ્ડ કપનો પણ સમાવેશ થાય છે. હાલના પ્રોગ્રામ અનુસાર આવનાર 7 મહિનામાં ભારતને ફક્ત 9 વન ડે રમવાના છે જેમાંથી 6 વિદેશમાં રમાશે.
વિરાટ કોહલી પાસેથી છીનવાઈ જશે વન ડે કેપ્ટનશીપ?
BCCIમાં એક ગ્રુપ વિરાટ કોહલીને વન ડે કેપ્ટન બનવી રાખવાના ફેવરમાં છે તો બીજુ ગ્રુપ ટી20 અને વન ડે બન્ને કેપ્ટનશીપ એક જ ખેલાડીને સોંપવાના પક્ષમાં છે જેથી રોહિત શર્માને વન ડે વર્લ્ડ કપ 2023 માટે સારી તૈયારી કરવાનો મોકો મળી શકે.
આ 2 લોકો કરશે છેલ્લો નિર્ણય
હવે સવાલ ઉઠે છે કે વિરાટ કોહલીની વન ડે કેપ્ટનશીપને લઈને બીસીસીઆઈના ગ્રુપોમાં ટકરાવ થયો તો તેનું પરિણામ શું આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ મામલામાં છેલ્લો નિર્ણય બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહનો રહેશે.